SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્રમાં ભગવાન શ્રી ઋષભદેવના વિહારનું વર્ણન કરતાં કહે છે - "સ્વામીથી પ્રતિકૂળ હવામ) વર્તનારાનું શુભ થાય નહીં, એમ જાણે જાણતા હોય તેમ પક્ષીઓ આકાશમાં ઉપરથી નીચે ઊતરી સ્વામીને પ્રદક્ષિણા ફરી જમણી બાજુએ ચાલ્યાં જતાં હતાં." દેવકૃત પંદરમો અતિશય ગંધોદકની વર્ષા गन्धाम्बुवर्षम् / गन्धोदकवृष्टिरिति / જે સ્થળે ભગવંત વિરાજમાન હોય, તે સ્થળે ધૂળ (રજ)શમાવવા માટે ઘનસાર વગેરે ઊંચા સુગંધિ દ્રવ્યોથી યુક્ત એવા જલની-ગંધીદકની વૃષ્ટિ મેઘકુમાર દેવતાઓ કરે છે.' આ અતિશયનું વર્ણન કરતાં શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે - जुत्तफुसिएणं मेहेण य निहयरयरेणूयं किज्जइ / ' ભગવંત જ્યાં જ્યાં વિચરતા હોય તેના આસપાસની યોજન પ્રમાણ ભૂમિ ઉચિત રીતે ઝરમર ઝરમર વરસતાં સુગંધિ જલનાં વાદળાંઓમાંથી થતી સુગંધિ જલની વૃષ્ટિ વડે રજ (પવનથી આકાશમાં ઊડતા માટીના કણો) અને રેણુ જમીન પર રહેલ ધૂળ)થી રહિત કરાય છે. આ અતિશય વિશે શ્રી વીતરાગ સ્તવમાં કહ્યું છે કે - सुगन्ध्युदकवर्षेण, दिव्यपुष्पोत्करेण च / भावित्वत्पादसंस्पर्शी, पूजयन्ति भुवं सुराः / / "હે દેવાધિદેવ ! આપનાં ચરણકમળનો પવિત્ર સ્પર્શ જે ભૂમિને ભાવિમાં નજીકના જ કાળમાં) થવાનો હોય, તે ભૂમિને દેવતાઓ સુગંધી જલની વર્ષાથી અને દિવ્ય પુષ્પોના સમૂહોની ઉત્તમ રચનાઓથી પૂજે છે." 1. વી. . પ્ર. 4 બ્લો. 11 વીવ, નવ 2. એ, ચિ. કાં. 1 શ્લો. 63. 3. અ, ચિ. કાં. 1 શ્લો. 13 સ્વ. ટી. 4. ઉપ પ્રા.ભાષા, ભા. 1 દેવકૃત અતિશય 15 માં અને પ્રસારો. ગા, 449 ટીકા. 5. સૂ. 34, અતિશય-૧૭ મો. 6. સમવાય સૂ. 34 ટીકા. 7. પ્ર. 4, શ્લો. 10. 234 અરિહંતના અતિશયો
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy