SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ લતીર્થ એટલે ચતુર્વિધ સંઘ, ભગવાન સર્વપ્રથમ સંઘને નમસ્કાર કરે છે. સ્વયં ભગવાન જેને નમસ્કાર કરે તેને લોકો પણ પૂજે. ભગવાન કૃત્યકૃત્ય હોવા છતાં લોકને પૂજનીય વસ્તુની પૂજાનો આદર્શ આપવા માટે એટલે તીર્થ-સંઘ પૂજનીય છે એ બતાવવા માટે સ્વયં સર્વપ્રથમ તીર્થને નમસ્કાર કરે છે, જેમ ભગવાન કૃતકૃત્ય હોવા છતાં ધર્મ કહે છે, તેમ તીર્થન નમસ્કાર પણ કરે છે અથવા તીર્થ એટલે શ્રુતજ્ઞાન ભગવાન શ્રુતજ્ઞાનને નમસ્કાર કરે છે - કૃતજ્ઞતા બતાવવા માટે, કારણ કે પૂર્વના તીર્થોમાં આરાધેલ શ્રુતજ્ઞાનના અભ્યાસથી તેઓએ આ અરિહંતપણું પ્રાપ્ત કર્યું છે. શ્રી ભદ્રબાહુ સ્વામીએ કહ્યું છે કે - तप्पुब्बिया अरहया पूइयपूआ य विणयकम्मं च / कयकिच्चो वि जह कहं कहए णमए तहा तित्थं / / આની વૃત્તિમાં કહ્યું છે કે - तीर्थं - श्रुतज्ञानं तत्पूर्विकाऽर्हत्ता तदभ्यासप्राप्तेरिति / ઉપર કહેલી નિયુક્તિના પાઠનો અને તેના પરની વૃત્તિનો સાર એ છે કે (I) તપૂર્વક અર્વત્તા છે : શ્રુતજ્ઞાનના અભ્યાસથી અરિહંતપણું પ્રાપ્ત થતું હોવાથી શ્રુતજ્ઞાન તીર્થ છે. તેથ! ભગવાન તવા તીર્થને નમસ્કાર કરે છે. (2) પૂજિત પૂજા-ભગવાને પણ તીર્થને પૂજેલ છે, તેથી લોક પણ આદરપૂર્વક તેની પૂજા કરે, એ માટે ભગવાન તીર્થને નમસ્કાર કરે છે આ બન્નેમાં વિનયકર્મ છે. પ્રથમ તણૂર્તિ સત્તા માં ભગવાન પોતાના હૃદયમાં રહેલો પૂજ્યભાવ-નમસ્કારરૂપ વિનય દ્વારા વ્યક્ત કરે છે. પૂનિતપૂનામાં લોકોને વિનય શીખવવા ભગવાન નમસ્કાર કરે છે. ઘણી વિદ્યાઓમાં સમવસરણનું ધ્યાન કરવામાં આવે છે. તેનાથી સાધકને અનેક લાભો થાય છે. શ્રી વર્ધમાન વિદ્યાની વિધિમાં કહ્યું છે કે - अमृतमुद्रया सजीवितापादनं, समवसरणस्थभगवद्रूपध्यानम् / અમૃતમુદ્રા વડે સમવસરણનું વાતાવરણ સજીવન કરવું. તે પછી સમવસરણમાં રહેલ ભગવંતના રૂપનું ધ્યાન કરવું. 1. લોકપ્રકાશ, સર્ગ-૩, પૃ. ૨૬૭ને આધારે. 2. ન. સ્વા. પ્રા. વિ. પૃ. 107. અરિહંતના અતિશયો 2 23
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy