SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ કર્મનો જય કરવાથી ચા જયસ્તંભ જેવાં નાની નાની હજારો પતાકાઓથી યુક્ત ધર્મધ્વજ તેની આગળ ચાલતો હતો. દેવકૃત છઠ્ઠો અતિશય પગ મૂકવા માટે સોનાનાં કમળો अंहिन्यासे चामीकरपङ्कजानि મંદિજાણે પગ મૂકવા માટે યાવરપત્નનિ સોનાનાં કમળો હોય છે. જ્યાં જ્યાં ભગવંતના પગ પડે ત્યાં ત્યાં દેવતાઓ તે પગ પડે તે પૂર્વે જ સોનાનાં કમળો ગોઠવી દે છે. કેવલજ્ઞાનની ઉત્પત્તિ પછી ભગવંતના ચરણો ભૂમિને સ્પર્શતાં નથી. ભક્તિથી સભર- હૃદયવાળા દેવતા ભગવંતના પાદન્યાસ નિમિત્તે નવ સુવર્ણ કમળની સતત કમબદ્ધ રચના કરે છે. આ કમળો સોનાનાં હોવા છતાં સ્પર્શમાં માખણ જેવાં મૃદુ હોય છે. નવ કમળો ક્રમબદ્ધ પંક્તિમાં હોય છે. તેમાંના બે કમળો ઉપર ભગવાન પોતાનું ચરણ-યુગલ (બે પગ મૂકતાં મૂકતાં વિચરે છે. બાકીનાં સાત કમળો પાછળ હોય છે. નવું પગલું જ્યાં ભગવંત મૂકે ત્યાં તે પૂર્વે જ પાછળનું છેલ્લું કમળ આગળ પગ નીચે ગોઠવાઈ જાય છે. શ્રી વીતરાગ-સ્તવમાં સ્તુતિ કરતાં કહ્યું છે કે - "હે નાથ ! જ્યાં જ્યાં આપનાં પગલાં પડે છે ત્યાં દેવતાઓ સોનાનાં કમળોની રચનાનાં બહાનાથી કમલવાસિની શ્રી લક્ષ્મી)ને વેરે છે.” શ્રી વીતરાગસ્તવ પ્ર. 4, શ્લો. ૩ના વિવરણમાં કહ્યું છે કે - भवति च त्रिभुवनलक्ष्मीनिवासस्य भगवतश्चरणन्यासादवने: सश्रीकतेति / -- ત્રણે ભુવનની લક્ષ્મીના નિવાસ એવા ભગવંતના પાદવાસથી ભૂમિ શ્રીવાળી થાય છે. ભક્તામર સ્તવમાં કહ્યું છે કે - વિકસ્વર એવાં સુવર્ણનાં નવીન કમળોના પુંજ જેવી કાંતિવાળા અને સર્વ બાજુએ - વિશેષા, ભા. 2, પૃ. 338. 1. અ. ચિ. 2. રોહિં પાદિ પવા, મા દોડ સત્તડશે ! 3. યત્ર પણ પવૅ વત્તત્તવ તત્ર સુ/શુI: I किरन्ति पङ्कजव्याजाच्छ्रियं पङ्कजवासिनीम् / / જ્યાં જ્યાં તારા પદ પદ ઘરે ત્યાં સુરાસુરવૃન્દ. વેરે લક્ષ્મી કમલ છલથી પધસવા મુનીંદ ! - વી. સ્ત, પ્ર. 4, શ્લો. 3. - કાવ્યાનુવાદ અરિહંતના અતિશયો 23
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy