SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ દેવકૃત બીજો અતિશય ચામરો છે આકાશમાં ચમર: ચામરી હોય છે. ભગવંત જ્યારે ચાલતા હોય છે ત્યારે તેમની આગળ ઉપર આકાશમાં ચામરો ચાલે છે અને ભગવંત જ્યારે બેસે. ત્યારે ભગવંતની બંને બાજુ દેવતાઓ ચામરો વીંઝતા હોય છે. આ અતિશયના વિશેષ વર્ણન માટે જુઓ ચતુર્થ મહાપ્રાતિહાર્ય ચામર શ્રેષિાનું વર્ણન દેવકૃત ત્રીજો અતિશય સિંહાસન खे सपादपीठं मृगेन्द्रासनमुज्ज्वलम् / / એ-આકાશમાં સપડું પાદપીઠથી સહિત પૃદ્રાસન સિહાસન ઉષ્ય ઉજ્જવલ. ભગવંત જ્યારે વિહાર કરતા હોય ત્યારે પાદપીઠથી સહિત એવું નિર્મલ સ્ફટિક રત્નનું બનાવેલું ઉજ્વલ સિંહાસન ભગવંતની આગળ ઉપર આકાશમાં ચાલતું હોય છે અને ભગવંત બેસે ત્યારે તે સમુચિત સ્થાને નીચે ગોઠવાઈ જાય છે. આ અતિશયના વિશેષ વર્ણન માટે જુઓ પંચમ મહાપ્રાતિહાર્ય સિંહાસનનું વર્ણન. દેવકૃત ચોથો અતિશય ત્રણ છત્ર खे छत्रत्रयम् / યે આકાશમાં છત્રવેત્રણ છત્ર હોય છે. ભગવંત જ્યારે ચાલતાં હોય છે, ત્યારે ભગવંતની ઉપર આકાશમાં ત્રણ 9 ચાલે છે અને ભગવંત બેસે ત્યારે તે ત્રણ છત્ર ભગવંતના મસ્તકની ઉપર થોડેક દૂર સમુચિત સ્થાને ગોઠવાઈ જાય છે. આ અતિશયના વિશેષ વર્ણન માટે જુઓ અષ્ટ મહાપ્રાતિહાર્ય ત્રણ છત્રનું વર્ણન. 1. અ. ચં. કાં. 1, શ્લો. 61. 2. અ. ચિ. કાં. 1, શ્લો. 61. 3. અ. ચિ. કાં. 1, શ્લો. 61. અરિહંતના અતિશયો 111
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy