SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ साग्रे त्र गव्यूतिशतद्वये रूजा, वैरेतयो मार्यतिवृष्टयवृष्टयः / दुर्भिक्षमन्यस्वकचक्रतो भयं, स्यानत एकादश कर्मधातजाः / / સા=૫૦ ગાઉ = 25 યોજન અધિક. ૧ભૂતિશતદરે બસો ગાઉમાં = 100 યોજનમાં.રૂના=રોગ.રેતા =વેર અને ઇતિ. માર્વતિવૃષ્ટપૃદય =મારિ, અતિવૃષ્ટિ અને અવૃષ્ટિ =દુકાળ.ગચસ્વવત મયંસ્વરાષ્ટ્ર અને પરરાષ્ટ્રથી ભય. =ન હોય. વાલી મૈયાતિના =આ અગિયાર અતિશયો કર્મક્ષયથી ઉત્પન્ન થાય છે. ભગવંત જ્યાં વિચરતા હોય તે પ્રદેશમાં સવાસો યોજન સુધીમાં રોગ, વૈર, ઇતિ, મારિ, અતિવૃષ્ટિ, અવૃષ્ટિ, દુર્મિક્ષ અને સ્વચક્ર-પરચક્રભય ન હોય. શ્રી અભિધાન ચિંતામણિમાં કર્મક્ષયજ ચોથા અતિશયથી માંડીને અગિયારમા અતિશયનું વર્ણન એક જ શ્લોકમાં આપેલું હોવાથી અહીં પણ એકી સાથે જ આપ્યું છે. શ્રી વીતરાગ સ્તવમાં દરેક અતિશયનું વર્ણન અલગ અલગ શ્લોકમાં આપેલ છે. અભિધાન ચિંતામણિની સ્વોપજ્ઞ ટીકા મુજબ આ અતિશયોનું સંક્ષિપ્ત વર્ણન આ રીતે છે : અતિશય ૪-તાવ વગેરે રોગો ન હોય. અતિશય પ-વેર એટલે લોકોમાં એકબીજા સાથે વિરોધ ન હોય. અતિશય કઇતિ એટલે ધાન્ય વગેરેને હાનિ કરનાર અતિપ્રમાણમાં ઉંદરી, તીડો, પોપટો વગેરે પ્રાણીઓના સમૂહ ન હોય. અતિશય ૭-મારી (મરકી) એટલે ઔપાતિક એટલે કે દુષ્ટ દેવતા વગેરેએ કરેલ સર્વત્ર મરણ, તે ન હોય. અકાલ મૃત્યુ પણ ન થાય. અતિશય ૮-અતિવૃષ્ટિ એટલે નિરંતર ઘણો જ વરસાદ, તે ન હોય. અતિશય ૯-અવૃષ્ટિ એટલે સર્વથા વરસાદનો અભાવ, તે ન હોય. 1. અ. ચિ. કાં. 1 શ્લો. 60. 2. પૂર્વે કહેલ 3 અને અહીં કહેલ 8 અતિશયો. 3. જુઓ પરિશિષ્ટ, 4. કોઈ પણ જાતના ઉત્પાતથી થતી વસ્તુને ઔત્પાતિક કહેવામાં આવે છે. આકાશમાંથી પથરા વગેરેની વૃષ્ટિરૂપ જે અનિષ્ટ વસ્તુઓ તેને ઉત્પાત કહેવામાં આવે છે. 5. અતિ વરસાદથી પાકને નુકસાન પહોંચે. અરિહંતના અતિશયો 101
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy