SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ 4. ચરમ જન્મના પૂર્વના જન્મમાં જ્યારે ભગવંત દેવતાઈ સુખો ભોગવતા હોય છે, ત્યારે અને છેલ્લા જન્મમાં રાજ્યસુખ વગેરે સુખો ભોગવતા હોય છે, ત્યારે પણ સદા વિરક્ત હોય છે. 5. ભગવંત નિત્ય વિરક્ત હોય છે. 6. ભગવંત સુખ-દુ:ખ વિશે કે ભવ-મોક્ષ વિશે ઉદાસીન હોય છે. 7. ભગવંતને સહજ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે. 8. ભગવંત સદા ઉદાસીન હોવા છતાં સદા સતત વિશ્વના ઉપકારક હોય છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા યોગદષ્ટિસમુચ્ચયમાં, ઉપાધ્યાય ભગવાન શ્રી યશોવિજયજી મહારાજા ધાત્રિશત્ દ્વાત્રિશિકામાં ૨૪મી બત્રીશીમાં, યોગદષ્ટિની સઝાયમાં કાંતાદૃષ્ટિના વર્ણનમાં અને અધ્યાત્મસારના વૈરાગ્ય સંભવ અધિકારમાં ઉત્તમ પ્રકારના વૈરાગ્ય વિશે કહે છે કે - વૈરાગ્યની આ ઉચ્ચ દશામાં કામભોગોનો સંયોગ પણ મહાત્માઓની અતિ બળવાન ધર્મશક્તિનો નાશ કરતો નથી. દીપકને ઓલવનાર વાયુ પ્રજવલિત દાવાનલન ન ઓલવી શકે. - અસ્થાયી વૈરાગ્યવાળા જીવની ધર્મશક્તિને અહીં દીપકની અને ઉત્તમ વૈરાગ્યવાળા જીવની ધર્મશક્તિને અહીં દાવાનલની ઉપમા આપવામાં આવી છે. વાયુ દીપકને ઓલવી નાખે, પણ દાવાનલને પ્રજ્વલિત કરે, તેમ કામભોગોનો સંયોગ ઉત્તમ આત્માઓના વૈરાગ્યાદિને વધારે છે. તેઓ સ્વેચ્છાથી કામભાગોમાં પ્રવર્તતા નથી, પણ કર્મ તેને પ્રવર્તાવે છે. ભોગના સંયોગમાં પણ તેઓ અંતરાત્માથી વિરા હાઈ કર્મનિર્જરા કરતા હોય છે. દ્વિતીય કર્મક્ષયજ અતિશય વાણી - સર્વભાષાસંવાદિની અને યોજનગામિની वाणी नृतिर्यक्सुरलोकभाषा संवादिनी योजनगामिनी च / વાણી = ભાષા-અર્ધમાગધી. સંવાદિની=મનુષ્યો, તિર્યંચો અને દેવોની ભાષારૂપે પરિણમતી. યોજનગામિની = એક યોજન સુધી સર્વ દિશામાં ફેલાતી. ભગવંત અર્ધમાગધી ભાષામાં દેશના આપે છે. ભગવંતના પ્રભાવથી આ ભાષા સર્વ જીવોને પોતપોતાની ભાષામાં પરિણમે છે. એટલે કે સમજાય છે. 1. ધર્મશજી ને ન્યત્ર, માથાનો વધat | हन्ति दीपापहो वायुर्व्वलन्तं न दावानलम् / / 2. એ. 4i. કાં. 1 લા૫૮ - અધ્યાત્મસાર, કે . અરિહંતના અતિશયો
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy