SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવંતના આ પ્રથમ કર્મક્ષયજ અતિશયના પ્રભાવથી કોડાકોડી સંખ્યામાં રહેલા દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચો ફક્ત એક જ યોજનપ્રમાણ ભૂમિમાં સમાઈ જાય છે. બધા સુખેથી દેશના સાંભળે છે, કોઈને પણ સંકોચાઈને બેસવું પડતું નથી અને તેથી કોઈને પણ કોઈ જાતની પીડા થતી નથી. કર્મક્ષયજ અતિશય એટલે તે અતિશય કે જે જ્ઞાનાવરણીય કર્મ વગેરે ચાર ઘાતિ કમાંનાં ક્ષયથી ઉત્પન્ન થાય છે. ભગવંતના ઘાતિકર્મોનો ક્ષય થતાં જ ભગવંતને કર્મલયજ અગિયાર અતિશયો ઉત્પન્ન થાય છે. આ અગિયાર કર્મક્ષય અતિશયોના વિશે શ્રી વીતરાગ સ્તવમાં કહ્યું છે કે - “હે યોગવર ચક્રવર્તિ ! આ જે અગિયાર અતિશયો પૂર્વે વર્ણવ્યા, તે આપના દર્શન જ્ઞાન ચારિત્રરૂપ રત્નત્રયના પરમ એકીભાવરૂપ યોગસામ્રાજ્યનો મહાન મહિમાં છે. હે દેવ ! આપની વિશુદ્ધ રત્નત્રયી જ સાચું સામ્રાજ્ય છે, કારણ કે તે ત્રણે ભુવનમાં સનાતન એવી સંપત્તિને ઉત્પન્ન કરનાર છે. હે સ્વામિનું ! કોઈ પણ બુદ્ધિમાન પુરુષ આપના આ મહાન કર્મય, શય સ્વચક્ષુથી નીરખીને વિસ્મય પામ્યા વિના ન જ રહે નાથ ! આપના આ અતિશયો કવળ . જી રે બે હજાર માણસોને જ વિદિત હોય એવા નથી, એ તો ચરાચર વિશ્વમાં સુવિખ્યાત છે. હે દેવાધિદેવ ! આપે લોકોત્તર ભવ્ય પુરુષાર્થ કરીને જે કર્મક્ષય કર્યો છે. પ્રભ! થો આ યોગલક્ષ્મી આપને સ્વયે વરી છે.” ઘાતિકર્મનો અને રાગદ્વેષનો ક્ષય તો બધા જ વીતરાગ મહાપુરુષો કરે જ છે, તે પછી તે બધાને કેવલજ્ઞાન પણ ઉત્પન્ન થાય છે. બધા જ વીતરાગ ભગવંતા ઘાનિક કે રાગદ્વેષનો ક્ષયની અપેક્ષાએ અને કેવલજ્ઞાનની પ્રાપ્તિની અપેક્ષાએ સમાન છે. રોગલ' હતું 1. આવશ્યક નિર્યુક્તિ ગા. ૫૩૯ની હારિભદ્રીવૃત્તિમાં કહ્યું છે કે - .... સંધ્યયfમરેંaffમ: परिवृतो देवोद्योतेनाशेषं पन्थानमुद्योतयन् देवपरिकल्पितेषु पद्येषु चरणन्यासं कुर्वन मध्यमानगयों महासेनवनोद्यानं संप्राप्तः / શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થતાં જ ચારે પ્રકારના દેવતા આ યા , દેવતાઓએ એક મુહૂર્ત સુધી ભગવંતની પૂજા કરી. ભગવંતે દેશના આપી. તે પછી અન્યૂ કરોડ દેવતાઓથી પરિવરેલા, દેવતાઓએ કરેલ ઉદ્યોતથી સંપૂર્ણ પથને પ્રકાશિત કરતા અને દેવરચિત સુવર્ણ કમળો પર ચરણન્યાસ કરતા ભગવાન મધ્યમાં નામની નગરીમાં મહાસન વન ઉદ્યાનમાં પધાર્યા. અહીં અસંખ્ય કરોડ દેવતાઓનો નિર્દેશ છે. 2. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયકર્મ. 3. વી. સ્વ. વિવ. અવ. પ્ર. 3, શ્લો. 12. અરિહંતના અતિશયો
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy