SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ મોહ છુટતો નથી, તે સત્તાની લાલસાથી તું પરાજીત છે. સત્તા છોડી સંયમ ન સ્વીકારે તે ચક્રી નિયમાં નરકે જાય એવું જાણવા છતાં સત્તાની આસક્તિ છુટતી નથી. સમૃદ્ધિ અને સુખનો ભોગવટો પુન્યને સાફ કરી જીવને કડકા બનાવી દે છે. એવું જાણવા છતા ભોગ લાલસા ઓછી થતી નથી. વિષય કષાયથી, અંદરની કુવાસના અને કુવિકારોથી, અહં અને મમથી હે રાજન્ ! તું પરાજિત છે, - ત્રીજું વાક્ય કહેતા, “મા હણ” રાજન્ ! કોઈને હણીશ નહીં. જીવ સૌને હાલો છે. પ્રાણ સૌને હાલો છે. કોઈને દુઃખ પહોંચાડીશ નહીં, ઠેસ પહોંચાડીશ નહી. - રોજ સિંહાસન ઉપર બેસતા આ ‘ત્રિપદી' નું અમૃતપાન કરી ભરત વૈરાગ્યમય તાજગીથી દીપી ઉઠતા, આ “ત્રિપદી” એક અપૂર્વ રસાયણનું કામ કરતી, જેના કારણે ભરત સિંહાસન ઉપર બેસવા છતાં અલિપ્ત રહી શકતા. સ્ત્રીઓના ભોગમાં પણ અનાસક્ત રહી શકતા. સમૃદ્ધિઓના ખડકલા વચ્ચે રહી તેનાથી અલિપ્ત રહી શકતા. કેવી સ્વચ્છ હશે તેમની અંતરની મનોભૂમિકા ! કેવી શુદ્ધ હશે તેમની આંતર પરિણતી ! કેવા સ્થિર હશે આંતર વિરક્તિના ભાવો ! ભોગી છતાં યોગી, સંસારી છતાં સાધક, રાગી છતાં વિરાગી. ભરતના અંતરમાં વિરક્તિનો મહાસાગર ઉછાળા મારતો હતો તેનો પુરાવો હતો આરિસા ભવનનો અંતિમ પ્રસંગ. ભરત મહારાજા આરિસા ભવનમાં છે, એક આંગળીની વીંટી સરકી ગઈ છે. વીંટી વગર આંગળીની ઝાંખપ જોઈ તેઓ અનિત્ય ભાવનામાં ચઢી જાય છે. શું શરીરની શોભા અલંકારોથી છે ? ગમે તેટલું સાચવો તો ય શું શરીર નાશ પામવાના સ્વભાવ વાળું જ છે ? શું કથળેલા શરીરની કોઈ ..82...
SR No.032831
Book TitleAnandnu Upvan
Original Sutra AuthorN/A
AuthorVijaykalyanbodhisuri
PublisherAkshay Shah Jaimin Jain
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy