________________ કપટ રહિત થઈ આતમ અપણા સાધનાના ક્ષેત્રમાં “ગુરૂ' અગત્યનું અંગ છે. ગુરૂ વિના સાધના શક્ય નથી. ગુરૂ વિના અંધારામાં જ ગોથા ખાવા પડે છે. ગુરૂ” અંધારા ઉલેચી પ્રકાશ રેલાવાનું કામ કરે છે. 'गु' शब्दस्त्वंधकारे स्यात्, 'रु' शब्दस्तन्निरोधकः / अंधकारनिरोधत्वात्, गुरुरित्यिभधीयते // ગુ' એટલે અંધકાર, રૂ એટલે અટકાવનાર, અંધકારને દુર કરે તે ગુરૂ, આ કાળમાં સાચા ગુરૂ કોઈ છે જ નહીં એમ કહી જેઓ ગુરૂતત્ત્વનો ઉચ્છેદ કરે છે, વગર ગુરૂએ સાધના કરવાનો પ્રયત્ન કરે છે તેઓ ભિત ભૂલે છે, નરી વિડંબણાનો ભોગ બને છે. હૃદયમાં કંડારી લો કે “ગુરૂ વિના સાધના શક્ય જ નથી.” “ગુરૂર્બહ્મા ગુરૂર્વિષ્ણુ ગુરૂર્દેવો મહેશ્વર ગુરૂર્નાક્ષાત્ પરબ્રહ્મ તસ્મ શ્રીગુરવે નમઃ " ઈતર શાસ્ત્રોમાં ગુરૂને સાક્ષાત્ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ અને સાક્ષાત્ પરમબ્રહ્મ કહ્યા છે. ગુરૂ ગોવિંદ દોનો ખડે, કાકો લાગુ પાય ? બલિહારી ગુરૂદેવ કી, ગોવિંદ દિયો બતાય. ગુરૂ અને ગોવિંદ બન્નેમાં ગોવિંદ કરતા પણ ગુરૂને મહાન બતાવાયા છે, કારણ ? ગોવિંદને ઓળખાવનાર ગુરૂ જ છે. | નવપદમાં પ્રથમ બે પદમાં દેવતત્ત્વ છે. પછીના ત્રણ પદમાં ગુરૂતત્ત્વ છે. પછીના ચાર પદમાં ધર્મતત્ત્વ છે. ગુરૂ વચ્ચે છે કારણ દેવતત્ત્વ અને ધર્મતત્ત્વને ઓળખાવનાર ગુરૂ જ છે. ગુરૂ વિના સાધના નિઃસાર છે. જોખમી છે. દુષ્પરિણામ લાવનારી છે. ભૌતિકતાના અંધકારમાંથી આધ્યાત્મિકતાના .. ......