________________ દરમ્યાન બોલાવ્યા હતા. શાહી સરભરાથી સાચવી વિશિષ્ટ બહુમાન કરાવ્યું હતું. અભ્યાસ કર્યાના ચાલીશ વર્ષ પછી જૈન શાસનના એક ધૂરંધર આચાર્ય એક ગૃહસ્થ પંડિતનો આટલો ઉત્કટ વિનય કરે એ કેટલી ગજબની વાત આચાર્યશ્રીને મનમાં એક જ ભાવ, “મને આમણે ભણાવ્યા છે. છ દર્શનનો અભ્યાસ દિલથી કરાવ્યો છે. તેમના ઉપકારનો બદલો વળી શકે નહી. તેમની ભક્તિ કરીએ એટલી ઓછી છે.” કરવા હોય તો એવા વિચારો પણ કરી શકાય, “ભણાવ્યા ત્યારે ભણાવ્યા, હવે શું ? તે પણ પગાર લઈને ભણાવ્યા છે, મફત નહીં” આ કૃતજ્ઞતાભાવ નથી. ગૃહસ્થ ગુરૂ પ્રત્યે પણ જો આવો ભક્તિભાવ હોય તેને પોતાના ઉપકારી સાચા ગુરૂદેવ પ્રત્યે કેટલો ભક્તિભાવ હશે ? આ વિનય-ભક્તિના પ્રભાવે જ તેઓ જૈનાગમોના પ્રખરજ્ઞાતા, ન્યાય વિશારદ, અને જૈનશાસનના પ્રખર પ્રભાવક બની શક્યા. વિદ્યા આપે તે વિદ્યાગુરૂ, પછી તે કેવા છે ? તેનો વિચાર વિદ્યાર્થીએ કરવાનો ના હોય, તે ગૃહસ્થ હોય, ક્રોધી હોય, પતિત હોય, ગમે તેવા હોય, આપણને વિદ્યાનું દાન કર્યું એટલે આપણા મહાન ઉપકારી, આપણા વિદ્યાદાતાગુરૂ. તે કેટલા વાગે આવે છે ? કેટલા વાગે જાય છે ? નિયત સમય સુધી બેસે છે કે ઓછુ ભણાવે છે ? મહિનામાં કેટલા દિવસ આવ્યા? કેટલા ખાડા થયા ?'' આવી ક્ષુદ્ર-તુચ્છ નોંધ રાખતા વિદ્યાર્થીઓ કોઈ કાળે જ્ઞાનાર્જન કરી શકતા નથી. ઉંચા આવી શકતા નથી. વિદ્યા ગુરૂ માટેની આવી તપાસ પણ તેમના પ્રત્યેના ગર્ભિત અસદ્ભાવનું સુચક છે. તેમને આવવું હોય ત્યારે આવે, જવું હોય ત્યારે જાય, પ્રસન્નતા ...44...