________________ આજે હિટલર જીવંત નથી. પણ હિટલરીવૃત્તિ જનજનમાં- મનમનમાં વ્યાપ્ત છે. ભેગુ કરવાના સમયે ભોગવી શકાતું નથી. કારણ દોડાદોડીની Daynight સર્વિસમાં ભોગવવાનો સમય જ મળતો નથી. ભેગુ કરી લીધા પછી પણ ભોગવી શકાતું નથી. કારણ કે તે સમયે ભોગવવાની શારીરિક-માનસિક ક્ષમતા હોતી નથી... આફતો અને આપત્તિઓની ઠોકર ખાધા પછી સીધા થવા કરતા જીવનમાં જ્ઞાનનો ઉજાશ કરીએ, મનમાંથી અધિરાઈને દૂર કરીએ, પછી જ્યાં જઈએ ત્યાં શાંતિ હશે, સુખ જ સુખ હશે, મસ્તી જ મસ્તી હશે. અંતે એવું નથી કે રસ્તો બહુ લાંબો મળ્યો છે. થોડી જ જગ્યામાં ઘણો ચકરાવો મળ્યો છે. * * * * * .19,,,