________________ ચારિત્રહીન લો. નાનાબ જખમ નથી. રાજકમાં નહીં જ હતી ચારિત્રહીન રક્ષકથી ગામના હીર ચુંથાઈ જશે. આ વાતને હળવેથી ન લો, ગંભીરતાથી લો. નાના પણ સાપના બચ્ચાની ઉપેક્ષા ખૂબ જોખમી છે. નાના પણ દોષનો બચાવ ખૂબ જોખમી છે. ગામની મા-દિકરીઓનો શીલનો સવાલ છે. એની ઉપેક્ષા હિતાવહ નથી. રાજકુમાર પોતાની ભૂલ કબુલ કરે, કન્યાની માફી માંગે, નહીં તો પરિણામ સારું નહીં આવે. રાજાની ભૂલ થાય તો મહાજન તેમનો કાન પકડે એવી મહાજનની હાંક હતી. રાજા ન માન્યો, રાજકુમારનો જ પક્ષ લીધો, રાજાની આ મોટી ભૂલ હતી. અંદરથી પ્રજ્વલિત અને વ્યથિત મહાજને નક્કી કર્યું કે હવે આ નગરમાં રહેવું ક્ષેમકર નથી. બીજા નગરના રાજા પાસે મહાજન ગયું. ત્યા વસવાટ માટે માંગણી કરી, રાજા તો ખુશ થઈ ગયો. આવું મહાજન મારે ત્યાં ક્યાંથી ? ખુશીથી પધારો. મહાજન નાકોડા પરત આવ્યું. નાકોડા નરેશને કહ્યું - અમારે તીર્થોની યાત્રાર્થે જવું છે. રક્ષણ માટે સૈનિકો આપો. રાજાએ સૈનિકો આપ્યા. આખું મહાજન ગાડાઓ ભરી ઘર ખાલી કરી નીકળી પડ્યું. બાજુના નગરમાં આવતા જ મહાજને સૈનિકોને કહ્યું, હવે તમે જાવ, અમે પાછા આવવાના નથી. અહીં જ કાયમ માટે વસવાના છીએ. તમારા રાજાને સમાચાર આપજો કે “જે નગરમાં મા-દિકરીઓ નિર્ભય ના હોય તે દેશમાં રહેવું મહાપાપ છે. જે નગરના રાજાઓ જ જો કુશીલ હોય, ચારિત્ર્યહીન અને વ્યભિચારપોષક હોય તે નગરમાં એક મિનિટ પણ રહી શકાય નહીં.” પાછા વળેલા સૈનિકોએ સમાચાર આપતાં જ રાજા ડઘાઈ ગયો. મહાજન ઉપર જ ગામની આબાદીનો આધાર હોય, મહાજન ગયું એટલે સર્વસ્વ ગયું. રાજાને તમ્મર આવી ગયા, રાજકુમારનો ખોટો બચાવ કર્યો તેનું જ આ દુષ્પરિણામ છે, એ વાતનો ખ્યાલ આવી ગયો. બાજુના ગામમાં મહાજનને મળવા રાજા સ્વયં સામે ચઢીને ગયો. મહાજનને વિનંતી કરી, મારી ભુલ થઈ ગઈ. મને ક્ષમા કરો, આજે મારી આંખ ઉઘડી ગઈ છે. તમારી વાત સાચી હતી. પુત્રના મોહમાં હું તમને ન્યાય આપી શક્યો નહીં. હું દિલગીર છું. પણ મારી નાની ભુલની આટલી મોટી સજા ના કરો, ક્ષમા કરો, ...137...