SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ વાછરડું મનમાં મુંઝાય છે. માતાને કહે, “માતાજી ! આ કેવો અન્યાય ? કેવો પક્ષપાત ? આપણે કસાઈને આટઆટલું દૂધ આપીએ, છાણ-મુતર આપીએ, બધી રીતે ઉપયોગી બનીએ, છતા આપણને સુકું ઘાસ... અને પેલો બોકડો કોઈ કામમાં આવે નહીં. આખો દિ નવરો બેઠો બે બે કર્યા કરે, છતાં તેને લીલુ ઘાસ ! જો તો, આપણે કેવા સુકાઈ ગયા છીએ. શરીરના એક એક હાડકા દેખાય છે. અને આપણી સામે જ આ બોકડો રાત્રે વધે છે ને રાત કરતા દિવસે સવાયો થાય છે. વગર મહેનતે લીલુમીઠું ઘાસ મળે, કેવી મઝા છે તેને, માં ! તારી સંમતિ હોય તો કસાઈને હું કહું, પક્ષપાત છોડી અમને ય લીલુ ઘાસ આપે. મા કહે વત્સ ! “ચિંતા ના કર, આનુ રહસ્ય થોડા સમયમાં જ જણાશે, જે થાય તે જોયા કર.” મહિના બાદ કસાઈને ત્યાં મોંઘેરા મહેમાનનું આગમન થાય છે. મિજબાની ઉડાવવા કસાઈ આ ઋષ્ટપુષ્ટ બકરાને ગળાથી પકડીને ખેંચી જાય છે. બકરો થર થર કાંપે છે. તેને ખ્યાલ આવી ગયો છે કે આજે રામ રમી જવાના છે. એક ડગલું આગળ વધવા તૈયાર નથી. આંખમાંથી આંસુઓની ધાર વહી જાય છે. બે બે બેની બુમરાણો કરી બચાવો બચાવોના પુકાર કરે છે. પણ બધું વ્યર્થ. ચાબુકના ફટકા મારી દોરડાથી ઢસડી કસાઈ તેને રસોડામાં લઈ જાય છે. ધારદાર છરાથી એક ક્ષણમાં તેને વધેરી નાખે છે. તગડા શરીરના માંસથી મોજ-મજા કરી મહેમાનો રવાના થાય છે. વાછરડુ તો એકીટસે આ બધુ દશ્ય જોતું જ રહ્યું. માતાને પુછે છે, “મા ! તેને ક્યાં લઈ ગયા? શા માટે લઈ ગયા ? શું કર્યું?” માં કહે, “તેના રામ રમી ગયા. જોયો ને, લીલા ઘાસ ખાવાનો અંજામ ! બોલ, જોઈએ છે તારે લીલુ ઘાસ ?' વાછરડું કહે, “ના મા, ના, લીલા ઘાસના પાપે જ જો અકાળે રીબાઈ ...100...
SR No.032831
Book TitleAnandnu Upvan
Original Sutra AuthorN/A
AuthorVijaykalyanbodhisuri
PublisherAkshay Shah Jaimin Jain
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy