________________ જગ જાહેર છે. સર્વત્ર મર્યાદા વિહોણા-વિવેક વિહોણા-જાનવરીયા જીવનના દર્શન થાય છે. અંધાધુંધી-અવ્યવસ્થા-નિરાશા-અજંપ-અશાંતિ-હતાશાથી જીવન ઘેરાઈ ગયા છે. યાદ રહે, મર્યાદા એ બંધન નથી, મુક્તિ છે. સામાજીક નિતિ નિયમોની લગામ જરૂરી જ છે. જેટલે અંશે મર્યાદા પાલન એટલે અંશે શાંતિ-પ્રસન્નતા આબાદી. એટલે અંશે મર્યાદાના ખંડન એટલે અંશે અશાંતિ-ઉકળાટ, દિશાવિહિનતા. દેશના રાજનેતા પણ કેવા હતા ! સરદારની મર્યાદા પાલનનો આદર્શ જો સર્વત્ર પુનઃ ગુંજતો થઈ જાય તો જ આબાદ ભારતવર્ષ આપણે પાછું મેળવી શકીશું. અન્યથા હારાકીરી વેઠવા માટે તૈયાર રહેવું પડશે. ...98...