SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ લગની લાગી છે પ્રભુ! તારા મિલનની... સત્તરભેદી પૂજાના પ્રારંભ પૂર્વે પરમાત્મ સ્વરૂપને વર્ણવતું ભૂમિકા-પ્રવચન दर्शनाद् दुरितध्वंसी, वन्दनाद् वाञ्छितप्रदः / पूजनात् पूरकः श्रीणां, जिनः साक्षात् सुरद्रुमः / અર્થ : “દર્શન કરવાથી પાપનો નાશ કરનાર, વંદન કરવાથી ઈચ્છિતને સારી રીતે આપનાર, પૂજન કરવાથી બાહ્યઅત્યંતર લક્ષ્મીને પૂરનાર, શ્રી જિનેશ્વર સાક્ષાત્ કલ્પવૃક્ષ જેવા છે.' અનંત ઉપકારી, તીર્થકર ભગવંતો સમગ્ર વિશ્વના ઉદ્ધારની પરાકાષ્ઠાની ભાવનાના યોગે તીર્થકરત્વને પામ્યા હતા. | સર્વ દોષથી રહિત, સર્વ ગુણથી સહિત, અનંત કરુણાના નિધાન, અચિંત્ય સામર્થ્યના સ્વામી, સર્વજ્ઞ, વીતરાગ પરમાત્મા એવા તીર્થકર ભગવંતના પરમ પ્રભાવની અનુભૂતિ જેમણે ક્ષણે-ક્ષણે કરી હતી, એવા મહાપુરુષોએ એ પરમાત્માની ભક્તિસભર હૃદયે તાત્ત્વિક અદ્ભુત સ્તવના કરતાં બહુ ઊંડી સંવેદના અનુભવી છે. વિ.સં. 2059 કાર્તિક સુદ-૧૧ મંગળવાર તા. 4-11-03 - - - - - - - - - - - - - - - - લગની લાગી છે પ્રભુ ! તારા મિલનની... - - ---
SR No.032826
Book TitleAnjanshalakana Rahasyo
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy