________________ વિધિમાં શ્રાવકના જીવનના કર્તવ્યોમાં એનું ધ્યાન કરવામાં આવેલું છે. આવા તારક પરમાત્માના મંદિરો ને મૂર્તિઓનું વિધિવત્ નિર્માણ કરનારના ભાગ્યનો કોઈ અવધિ નથી. એ ધન્ય છે, કૃતપુણ્ય છે. હિતોપદેશ નામના ગ્રંથરત્નમાં જણાવવામાં આવ્યું છે કે - સૂય-સંઘ-તિર્થી-પખુદ, સવ્વ તિર્થંદિં તાવ વકર્યા तस्स पडिच्छंदंमि कयंमि, सुकयं कयं सयलं / / 166 / / અર્થ : “શ્રત-સંઘ-તીર્થ વગેરે બધું તીર્થકરો દ્વારા જ પ્રવર્તાવવામાં આવ્યું હોવાથી તેમની પ્રતિમા કરનારે સઘળા સુકૃતો કરી લીધાં છે. તેમજ वेरुलिय-फलिहद्ध-विहुम-पमुक्खरयणेहिं सेल-धाऊहिं / धन्ना जयंमि कारिय-जिणपडिमा हुंति अप्पडिमा / / 167 / / અર્થ : “વૈડુર્યમણિ-સ્ફટિક-પરવાળો વગેરે રત્નોની. પાષાણની અને ધાતુની અનુપમ પ્રતિમાઓનું જેઓ નિર્માણ કરે છે, તેઓ ખરેખર આ જગતમાં ધન્ય છે.' એ ધન્ય કેમ ? કારણ એક જ પોતે તરે છે અને અન્ય હજારો આત્માઓને તરવાનું ભવ્ય આલંબન પૂરું પાડે છે. એ કાર્ય તીર્થકર નામકર્મના બંધનું પ્રધાન કારણ છે. કહ્યું છે ને... तिण्णाणं तारयाणं / મહાસમર્થ પૂ. ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મહારાજ પરમબુધ હતા. એમના બનાવેલા ગ્રંથોની એક પંક્તિ બેસાડવી હોય તો અમારે બીજા પાંચ-પચ્ચીસ ગ્રંથો ભણીને તૈયાર થવું પડે, ત્યારે સમજી શકાય. એવા મહાસમર્થ પણ જ્યારે જિનરાજના શરણે બેસતા ત્યારે સાવ નાના બાળક જેવા બની જતા. પરમાત્મા સાથે સ્તવનોમાં કજીયો ય કર્યો છે, બાળહઠ લઈને પણ બેઠા છે, ઓળંભો પણ આપ્યો છે અને પ્રિતમ માની પોતે એમની પ્રિયતમા બનીને ય બતાવ્યું છે. તો વળી ક્યાંક પ્રભુ સ્વામી અને એ એમના અદના સેવક પણ બન્યા છે. એક જગ્યાએ કહે -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- પરિકરના માધ્યમથી પરમાત્માનું ધ્યાન