________________ .... (ભA ... સભા પ્રકાશન દ્વારા આયોજિત "પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજના પ્રવચનોના સારગ્રાહી અવતરણ રૂપે પ્રકાશિત થતા અંજારલાઠ્ઠાતાં રહસ્યો પુસ્તક પ્રકાશનનો લાભ લેનાર || શ્રી સંભવનાથાય નમઃ | શ્રી નમિનાથાય નમઃ | શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | ધર્મધામ “સૂરિરામચંદ્ર' અને કૃપાધામ “સૂરિગુણયશ' પરમ આલંબને પ્રવચનતીર્થ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના શાસ્ત્રીય માર્ગદર્શનને ઝીલીને પાલડી અમુલ સોસાયટીના ગૃહાંગણે શ્વેત, સંગેમરમરી, સામરણબદ્ધ, કલાકૃતિમય જિનાલયનું નિર્માણ કર્યું છે. જેમાં અલૌકિક પરિકરયુક્ત સુવર્ણમજ્યા શ્રી સંભવનાથ પ્રભુ, શ્રી નમિનાથ પ્રભુ અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ આદિ જિનબિંબોનાં બેસણાં થશે. સૂરિરામચંદ્ર દીક્ષા શતાબ્દી વર્ષે 2068 ફાગણ વદ૫ સોમવાર તા. ૧૨-૩-૧૨ના શ્રી સંભવનાથ પ્રભુ આદિ જિનબિંબોની અંજનશલાકાપૂર્વક પ્રવેશ પ્રતિષ્ઠા તેમજ કલાત્મક ગુરુકુલિકામાં ભાવાચાર્ય ભગવંત પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા અને ગુરુગચ્છ વિશ્વાસધામ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાની ગુરુમૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાપૂર્વક પ્રવેશ-પ્રતિષ્ઠા તેમજ માતુશ્રી-પિતાશ્રી સમુબેન દેવસીભાઈ અને વડીલબંધુ જયંતિભાઈના જીવન સૌરભ નિમિત્તક યોજેલ ભવ્યાતિભવ્ય અષ્ટાહ્નિક જિનભક્તિ મહોત્સવ પ્રસંગે - કુલદીપક પૂજ્ય મુનિરાજ શ્રી મેઘયશવિજયજી મહારાજના પરમ આલંબને રામપુરા નિવાસી સમુબેન દેવસીભાઈ હકમચંદ આદિ સમસ્ત પાંચસોવોહરા પરિવાર જયંતિભાઈ-ઝબીબેન, વિનોદભાઈ-જેણીબેન, દિનેશભાઈ-મંજુલાબેન આપે કરેલી તભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની ઋતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ. જન્માષ્ટ પ્રદારત