________________ પરિકરના માધ્યમથી પરમાત્માનું ધ્યાન दर्शनाद् दुरितध्वंसी, वन्दनाद् वाञ्छितप्रदः / पूजनात् पूरकः श्रीणां, जिनः साक्षात् सुरद्रुमः / / चउतीसअइसयजुआ, अट्ठमहापाडिहेरकयसोहा / तित्थयरा गयमोहा, झाएअव्वा पयत्तेणं / / 1 / / અર્થ : ‘દર્શન કરવાથી પાપનો નાશ કરનાર, વંદન કરવાથી ઇચ્છિતને સારી રીતે આપવાર, પૂજન કરવાથી બાયઅત્યંતર લક્ષ્મીને પૂરનાર, શ્રી જિનેશ્વર સાક્ષાત્ કલ્પવૃક્ષ જેવા છે.” ‘ચોત્રીશ અતિશયથી યુક્ત, આઠ મહા પ્રાતિહાર્યોથી શોભા કરાયેલ, મોહથી મુક્ત એવા તીર્થકરો પ્રયત્નપૂર્વક ધ્યાન કરવા યોગ્ય છે.” જ્યાં છત્ર મંડર ઉજ્વલાં, શોભી રહ્યાં શિર ઉપરે, જે દેવદેવી રત્ન ચામર, વીંઝતા કરદ્રય વડે; દ્વાદશગુલ વણ દેવવૃક્ષ, અશોકથી યે પૂજાય છે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. વિ.સં. 2054 ચૈત્ર વદ-૧૪, શનિવાર તા. 25-4-98 - - - પરિકરના માધ્યમથી પરમાત્માનું ધ્યાન