________________ દીક્ષા કલ્યાણક સુવિહત આચારજ કરે, અંજનશલાકા કીઘ, પંચકલ્યાણક ઉત્સવે, માનું વચન જ લીઘ.” આવો પધારો ઈષ્ટ વસ્તુ, પામવા નરનારીઓ, એ ઘોષથી અર્પતા, સાંવત્સરિક મહાદાનને; ને છેદતા દારિદ્રય સોનું, દાનના મહાકલ્યથી, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. દીક્ષા તો અભિષેક જેનો, યોજતા ઈન્દ્રો મળી, શિબિકા સ્વરૂય વિમાનમાં, વિરાજતા ભગવંતશ્રી; અશોક યુગ તિલક ચંપકવૃક્ષ શોભિત વનમહીં, એવા પ્રભુ અરિહંત, પંચાંગ ભાવે હું નમું. શ્રી વજાર ઈન્દ્ર રચેલા, ભવ્ય આસન ઉપરે, બેસી અલંકારો ત્યજે, દીક્ષા સમય ભગવંત રે; જે પંચ મુષ્ટિ લોચ કરતા, કેશ વિભુ નિજકર વડે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માની ગેરહાજરીમાં સંસાર સાગર તરવા વિ.સં. 2054, વૈશાખ સુદ-૬, શુક્રવાર, તા. 1-5-98 - - - - - - - - - - - - - - - - - - - દીક્ષા કલ્યાણક 4