________________ બોલાય પણ આગ્રહ એવો હોય કે સામાને વિચાર કરવો પડે. કારણ એમાં એવો ભાર હોય છે. ત્રિશલા માતાજી એક જ વાક્ય બોલ્યાં, પણ એમાં એમનો ભાર એવો કે પરમાત્માને પણ થયું કે, “માતાજી આટલો આગ્રહ કેમ કરે છે ?' साग्रहेयं इतो माता, भवभ्रमणभीरितः / અર્થ : “એક બાજુ માતા આટલો આગ્રહ કરે છે અને બીજી બાજુ ભવભ્રમણનો ભય છે.' લગ્ન એ ભવભ્રમણનું કારણ છે. એમ પરમાત્મા પોતે માનતા હતા. એક બાજુ વાઘ છે અને એક બાજુ નદી છે. એવી પરિસ્થિતિ ભગવાન પોતાને માટે માને છે. છેવટે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે. એટલા માટે કે ભોગાવલી કર્મ નો નિકાચિત હોય અર્થાત્ ભોગ ભોગવ્યા વિના છૂટે તેવું ન હોય તો મૌન રહેવું અને અનિકાચિત હોય અર્થાત્ ભોગ ભોગવ્યા વિના જ છૂટી જાય તેવું હોય તો ના પાડવી. એમાં જોયું કે ભોગાવલી નિકાચિત છે. ભોગવ્યે જ છૂટકો છે. જાણી પ્રભુ મૌન રહ્યા અને પ્રભુના મૌનને સંમતિ માની માતાપિતાએ યશોદા જોડે લગ્નવિધિ કરાવી. આ તો વાત થઈ પરમાત્મા જેવા યોગની છઠ્ઠી દૃષ્ટિના સ્વામીની. નિર્મળ કોટિનું સમ્યગ્દર્શન ધરનારા પુણ્યશાળીઓની પણ આ જ દશા હોય. જંબુસ્વામીજી . 99 કરોડ નગદ સોનૈયાના માલિક બાપના એકના એક દીકરા. ઘણા ઘણા કોડથી ઉછરેલા. મોટી ઉમર પછી ઘણી માનતાઓ પછી મળેલા. આઠઆઠ કન્યાઓ જોડે લગ્ન લેવાયાં. 99 કરોડ સોનૈયાના માલિકને દીકરી પરણાવનારા પક્ષ પણ મજબૂત જ હોય ને ? મહેમાનો ય કેવા આવ્યા હશે ? એ લગ્નનો વરઘોડો કેવો નીકળ્યો હશે ? લોકો બે મોઢે એ વરઘોડાનાં વખાણ કરે છે. તે વખતે જેનાં લગ્ન છે, તે જંબૂકુમાર વિચારે છે કે ‘લગ્ન તો કર્મયોગે મારે કરવાં પડે છે અને અનુમોદના કરી પાપ આ બીચારા લોકો બાંધી રહ્યા છે.” તમારે ત્યાં દીકરા-દીકરીનાં લગ્ન લેવાય, ચાર માણસ ઘણી પ્રશંસા કરે તો આનંદ કે કોઈ પ્રશંસા ન કરે તો આનંદ? સમકિતીનું હૈયું જ કાંઈ જુદું હોય. જંબૂકુમાર વિચાર કરે છે કે, “આવતી કાલે દીક્ષાનો વરઘોડો એવો કાઠું કે આજની અનુમોદનાનું આ બધું પાપ ધોવાઈ જાય.' પાર્થ માવા માવાસુ | અર્થ : પ્રાયઃ ભાવથી ભાવની પ્રસૂતિ થાય.” ભાવથી ભાવની પ્રસૂતિ થાય એમ યોગગ્રંથોમાં કહ્યું છે. તેની પ્રતીતિરૂપે - - - - - - - - - - - - - - - - - - - - - - - - પ્રભુનો લગ્નોત્સવ 39