________________ અંજન વિધિના વ્યવહારો શક્તિ પ્રમાણે ભક્તિ दर्शनाद् दुरितध्वंसी, वन्दनाद् वाञ्छितप्रदः / पूजनात् पूरकः श्रीणां, जिनः साक्षात् सुरद्रुमः / / અર્થ : “દર્શન કરવાથી પાપનો નાશ કરનાર, વંદન કરવાથી ઈચ્છિતને સારી રીતે આપનાર, પૂજન કરવાથી બાહ્યઅત્યંતર લક્ષ્મીને પૂરનાર, શ્રી જિનેશ્વર સાક્ષાત્ કલ્પવૃક્ષ જેવા છે.” જે બાલ્યવયમાં પ્રોઢ સાજે, મુગ્ધ કરતાં લોકને, સોળે કળા વિજ્ઞાન કેરા, સારને અવઘારીને; ત્રણ લોકના વિસ્મય સમા, ગુરૂય યોવનયુક્ત જે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિઓ જિનભક્તિનો મહિમા ગાતાં કહી રહ્યા છે કે, જિનેશ્વર દેવોના દર્શનથી સર્વ પાપોનો નાશ થાય છે, વંદનથી સર્વ ઇચ્છિતોની પ્રાપ્તિ થાય છે અને પૂજનથી સર્વ સંપત્તિઓ આવી મળે છે. ઝાઝું તો શું કહેવું, જિનેશ્વર દેવ તો સાક્ષાત્ કલ્પવૃક્ષ જેવા છે. એવા શ્રી જિનેશ્વર દેવના જીવનની મહત્ત્વપૂર્ણ ઘટનાઓ-ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષપ્રાપ્તિ એ જગતનું કલ્યાણ કરનારાં હોવાથી એ ઘટનાઓને કલ્યાણક કહેવાય છે. વિ.સં. 2014, વૈ.સુ. 3+4 બુધવા- , તા. 29-4-98 -- -- પરમાત્માનું દાન