________________ તનથી ઉતારે પ્રભુ ભૂષણો, મનથી વિસારે એ સુખની ક્ષણો, કરે કેશ લુંચન, હરે મમતા બંધન, ધરે વ્રતમાં વચન મન કાય. હવે.. દેવદૂષ્ય ઈન્દ્ર સ્કન્ધ ધરે, “નમો સિદ્ધાણં” પ્રભુ ઉચ્ચરે, મહાવ્રત આદરે, સ્વજન વિનતિ કરે, દુઃખ શોક વ્યથા છલકાય... હવે કામવિજેતા જિનરાજ (તર્જ શાસ્ત્રીય) કામ સુભટ ગયો હારી રે, થાંસુ કામ સુભટ ગયો હારી. રતિપતિ આણ વહે સહુ સુરવર, હરિહર બ્રહ્મ મુરારી...૧ ગોપીનાથ વિગોપિત કીનો, હર અર્ધાગિત નારી રે, તેહ અનંગ કિયો ચકચૂરા, એ અતિશય તુજ ભારી રે...૨ તેહ સાચું જિમ નીર પ્રભાવે, અગ્નિ હોવત સબ છારી રે, પણ વડવાનલ પ્રબલ જબ પ્રગટે, તબ પીવત સવિ વારિ રે...૩ એણી પરે તેં અતિ દહવટ કીનો, વિષય અરતિ રતિ વારી રે, નયવિમલ પ્રભુ તું હિ નીરાગી, મહા મોટો બ્રહ્મચારી રે..૪ - - - - - - - - 132 અંજનશલાકાનાં રહસ્યો