________________ नमस्त्रिलोकीतिलकाय लोका-लोकावलोकैकविलोकनाय / सर्वेन्द्रवन्द्याय जितेन्द्रियाय, प्रसूतभद्राय जिनेश्वराय / / 2 / / ત્રણ લોકમાં તિલક સમાન, લોક અને અલોકને જોતા એક માત્ર જ્ઞાનવાળા, દરેક ઈન્દ્રો માટે વંદનીય, ઈન્દ્રિયોને જીતનારા અને જન્મ દ્વારા કલ્યાણને પામેલા અથવા કલ્યાણને જન્મ આપનારા જિનેશ્વર ભગવંતોને નમસ્કાર થાઓ. દીક્ષા કલ્યાણક चारित्रचक्रदधतं भुवनैकपूज्यं, स्याद्वादतोयनिधिवर्धनपूर्णचन्द्रम् / तत्त्वार्थभावपरिदर्शनबोधदीप-मैश्वर्यवर्यसुमनं विगताभिमानम् / / 1 / / निर्ग्रन्थनाथममलं कृतदर्पनाशं, सर्वाङ्गभासुरमनन्तचतुष्टयाढ्यम् / मिथ्यात्वपङ्कपरिशोषणवासरेशं, क्रोधादिदोषरहितं वरपुण्यकायम् / / 2 / / ચારિત્રરૂપી ચક્રને ધારણ કરનારા, ભુવનમાં એક માત્ર પૂજ્ય, સ્યાદ્વાદરૂપી સમુદ્રમાં ભરતી લાવનાર પૂનમના ચંદ્ર જેવા, તત્ત્વાર્થના ભાવોને જોનાર અને જાણનાર દીપક સમાન, ઐશ્વર્યરૂપી શ્રેષ્ઠ મનવાળા, અભિમાનરહિત, નિર્મળ, ગર્વનો નાશ કરનાર, સર્વ અંગથી દેદીપ્યમાન, અનંત જ્ઞાનાદિ ચતુષ્ટથી સમૃદ્ધ, મિથ્યાત્વરૂપી કાદવને દોષનાર સૂર્ય સમાન, ક્રોધાદિ દોષોથી રહિત, શ્રેષ્ઠ પુણ્યરૂપી કાયાવાળા મુનિઓના નાથને વંદન કરું છું. કેવળજ્ઞાન કલ્યાણક अशोकवृक्षः सुरपुष्पवृष्टि-दिव्यध्वनिश्चामरमासनं च / भामण्डलं दुन्दुभिरातपत्रं, सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् / / 1 / / ૧-અશોકવૃક્ષ, ૨-દૈવી પુષ્પોની વૃષ્ટિ, ૩-દિવ્યધ્વનિ, ૪-ચામર, પ-આસન, ૬-ભામંડલ, ૭-દુંદુભિ અને ૮-છત્ર, આ આઠ જિનેશ્વર પરમાત્માના સમ્યક્ પ્રાતિહાર્ય છે. નિર્વાણ કલ્યાણના શ્લોક सर्वापायव्यपाया-दधिगतविमल-ज्ञानमानन्दसारं, योगीन्द्रध्येयमग्र्य, त्रिभुवनमहितं, यत्तथाव्यक्तरूपम् / * - - - - - - - - - - - - - - પરિશિષ્ટ-૨ ચ્યવન કલ્યાણના શ્લોક -- રપ