________________ CCC સજાવટ, સ્વરો, તાલ, ગીત, સંગીત - આ બધું તો દ્રવ્ય છે. આ દ્રવ્યનો ઉપયોગ ભાય સુધી પહોંચવા માટે જ કરવાનો છે. ક્યાંય એવું ન બની જાય છે, ભાગ સુધી પહોંચવાનું મૂળ લક્ષ્ય ભૂલાઈ જાય અને આપણે કેવળ દ્રવ્યમાં જ અટવાઈ જઈએ. ગીત-સંગીત વગેરે ચમચી જેવું છે અને પૂજાના શબ્દોમાં રહેલ ભક્તિનો ભાવ એ વાનગી જેવું છે. વાનગી આરોગવાના બદલે ચમચી ચાવવાનું કામ ક્યાંય ન થઈ જાય તેનું ધ્યાન રાખજો. જેટલાં આલંબનો છે, તે બધી ચમચી છે. સંગીત-સૂરતાલ-શબ્દો આ બધી ચમચી છે અને તેના માધ્યમે પ્રભુના સ્વરૂપની અનુભૂતિ, પ્રભુના ગુણોનું સ્મરણ, પ્રભુની અનંત કરુણા, અચિંત્ય સામર્થ્ય, સર્વજ્ઞતા, વીતરાગતા વગેરે અનંતાનંત ગુણો પ્રત્યે અપાર અહોભાવ પ્રગટaો - આ બધી વાનગી છે. જે પ્રભુને ભૂલે છે અને માધ્યમોમાં જ અટવાય છે, તે પ્રભુથી દૂર ફેંકાઈ જાય છે. માધ્યમોનો ઉપયોગ કરીને જે પ્રભુમાં કરે છે, તે જ આગળ વધી શકે છે. સ્વયં પ્રભુ બની શકે છે. આપણે એવી ભૂમિકામાં પહોંચવું છે. 100 અંજનશલાકાનાં રહસ્યો