SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ દગો આપી બીજાને પરણી ગઈ.” પેલા ભાઈએ બીજા પાગલને પૂછ્યું - ‘તમે શા કારણે પાગલ થઈ ગયા ?' “અરે ! શું વાત કરું તમને, આ ભાઈ (પહેલા પાગલને ઉદ્દેશીને) જેને પરણવા માંગતા હતા તેને પરણીને હું પાગલ થઈ ગયો છું” - બીજા પાંગલે જવાબ વાળ્યો. બસ ! આ જ હાલત છે. એક વ્યક્તિ જે વસ્તુ ન મળવાથી દુઃખી થાય છે તે જ વસ્તુ મેળવીને બીજો પણ દુઃખી થાય છે. વાસુદેવની સેવામાં - 8000 દેવો હોય. ચક્રવર્તીની સેવામાં - 16000 દેવો હોય. તીર્થકરની સેવામાં - 1 કરોડ દેવો હોય છતાં તે તમામને જે પણ પરિસ્થિતિનું નિર્માણ થયું તેને હલાવવી જ પડી છે. તો પછી શા માટે આપણે સમતા ન જાળવવી ? આ હલવો પોલિસીના સંદેશાને મગજ ઉપર કોતરી દો. જંદગીમાં ઉભી થતી કોઈ પણ પરિસ્થિતિ તમારા કર્મને આધારે જ ઉત્પન્ન થાય છે. તે તમામ પરિસ્થિતિને હલવો. “મને બધું હાલશે, ચાલશે અને ફાવશે' - આ સૂત્રને જીવનમાં અપનાવી લો. હવે જ્યારે પણ વિપરીત પરિસ્થિતિને કારણે મગજમાં ગુસ્સો આવતો હોય ત્યારે શાસ્ત્રકાર પરમાત્માઓ આપણને ઉપદેશ આપી રહ્યા હોય તેમ હલવો શબ્દ મનમાં પડઘાય તો ગુસ્સો શમી જ જશે. જો જો પાછો દૂધીનો હલવો ના સમજી બેસતા. બાકી પછી મોઢામાં પાણી આવી જશે. જો કે દૂધીના હલવાનો વિચાર કરતાંય ગુસ્સો શમી જતો હોય તો ફાયદાનો ધંધો જ છે ને !!! ક્રોધમાં કહેવાયેલા વાક્યનું નિશ્ચિત પરિણામ : પારાવાર પશ્ચાત્તાપ, સમજુ ક્રોધીને ! - માર્ક ટ્રેન 79
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy