________________ ખરી ? અમદાવાદથી આબુના રસ્તે જતાં મુંબઈ આવે જ ક્યાંથી? ટૂંકમાં, આ પોલિસી એટલું જ કહે છે કે - દુનિયાદારીમાં રસ્તો તમે તમારી મંજિલ પ્રમાણેનો જ પસંદ કરો છો. અમદાવાદથી મુંબઈ જવા માટે આબુનો રસ્તો પકડવાની ભૂલ નથી જ કરતા તો સુખ મેળવવા માટે, જે રસ્તે ક્રોધ-અશાંતિ-અસમાધિ જ વચલા પડાવ તરીકે પથરાયેલા છે તે, દુઃખમાર્ગને શા માટે પસંદ કરો છો ? અશાંતિ અને અસમાધિ જ્યાં મળે તે રસ્તો તો દુઃખનો જ છે. ત્યાં સુખ મળે તેવી શક્યતા શી? તેથી સુખ જો જોઈતું હોય તો આજથી જ ક્ષમાની દિશામાં આગળ વધજો. કારણ કે સુખ મળશે તો આ ક્ષમાની દિશામાં આગળ વધવાથી જ મળશે.' ‘રોડ પોલિસીના આ સંદેશાને વહેલી તકે આત્મસાત્ કરી શાશ્વત સુખધામમાં પહોંચીએ. દિલના દિવાને બૂઝવી દેતો સૂસવતો પવન = ક્રોધ. - રોબર્ટ ઈગરસોલ, 385