SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પાપોદય રવાના થઈ જાય, તમારું આદેય નામકર્મ ઉદયમાં આવી જાયું - તેવી પણ શક્યતા છે. તેથી આટલું તો હવે નક્કી કરી જ લો કે જ્યાં મારો પાપોદય હોય ત્યાં મારે એક પણ અક્ષર નિરર્થક ઉચ્ચારવો નથી. મોન એ જ શરણ છે. 78 જો દીકરો મારું કહ્યું માનવા તૈયાર નથી. તો મારે એની જોડે ખોટી-ખોટી ટકટક કરવી નથી. 76 કુટુંબમાં જો મારું પુણ્ય પરવારી ગયું છે તો મૌન એ જ મારો તરણોપાય છે. 7 ફ્રેન્ડસર્કલમાં મારું ઉપજતું નથી. તો મૌન એ જ મને સંક્લેશમાં પડતો બચાવશે. આવું દરેક જગ્યાએ સમજી લેવું. “જ્યાં જેટલા અંશમાં મારો પાપોદય ત્યાં તેટલા અંશમાં મારા માટે વચનરૂપી હીરાના વ્યાપાર માટે રાત્રિ. તેટલો સમય તો અવશ્ય મારા મોઢાનું શટર બંધ' - આવું મગજમાં દઢ કરો. જો રાત્રિના ધંધો કરવા જાય તો લૂંટાઈ જાય, તેમ આ રાત્રિમાં ધંધો કરનાર પોતાના ક્ષમા વગેરે સદ્ગણ રૂપી હીરાને લૂંટાવી નાંખે છે. માટે, પાપોદયના સમયે સામનો ન કરો, મૌન જ રહો. તથા દિવસે પણ જેમ કોમી રમખાણ ફાટી નીકળ્યા હોય ત્યારે ધંધો ન કરાય. તેમ જ્યારે અંદર ગુસ્સાએ રમખાણ મચાવ્યું હોય ત્યારે કશું પણ બોલવાની જરૂરત નથી. ગુસ્સો એમને એમ શમી જશે. કોઈ તમને અપશબ્દ સંભળાવી જાય છે, તમારું અપમાન કરે છે, તમારી વાત સાંભળતો નથી, દીકરો સામો જવાબ આપે છે.... આવી-આવી uપરિસ્થિતિમાં તમને સામેવાળા પાત્ર ઉપર પારાવાર ગુસ્સો આવે છે. - આ ગુસ્સો શમાવવાનો બહુ સરસ અને કારગત ઉપાય એ જ છે કે એ વખતે કશું પણ ન બોલો. વચનનો વ્યવહાર સદંતર બંધ કરી દો. કેવલ મોન રાખો. આખરે મનનો ક્રોધ મનમાં શમી જશે. કૂવાનો પડછાયો કૂવામાં જ સમાઈ જશે. તેને વચનનું બળ આપ્યું તો સંક્લેશ 19
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy