________________ સંક્લેશનું વાતાવરણ સર્જાયું છે. ક્યારેક ક્યારેક પોતાની ભૂલને પણ નજરમાં લેજો, સામેવાળાની ભૂલને ક્ષમ્ય ગણતા શીખો તો જ ક્રોધ કાબૂમાં આવી શકે. પ્રકળ 6 Banડી ચાવી વસ્તુનો મૂળથી નાશ કે ઉત્પત્તિ કોઈ પણ કરી જ શકતું નથી, તો પછી હર્ષ-શોક શા માટે ? પ્રભુના આ તત્ત્વજ્ઞાનને વહેલી તકે આત્મસાત્ કરી લો. ક્રોધ ખરેખર રવાના થઈ જશે. માધ્યશ્મનો એક વાર પ્રાદુર્ભાવ થઈ ગયો તો પછી સમતા હાથવગી છે. અને જ્યાં સમતાને સ્થાન મળ્યું ત્યાં ક્રોધ રહી કેવી રીતે શકે ? પાણી હોય ત્યાં આગ કઈ રીતે રહે ? ) ટૂંકમાં, આ તત્ત્વજ્ઞાન પોલિસી એટલું જ કહેવા માંગે છે - વસ્તુ પોતાના મૂળ સ્વભાવમાં જ હોય છે. તેનાથી તેને કોઈ ભ્રષ્ટ કરી શકતું નથી કે નવા સ્વભાવમાં રાખી શકતું નથી. વસ્તુ તો એની એ જ હોય છે. ખાલી એના બહારના રૂપ-રંગ-દેખાવ થોડા ઘણા બદલાયે રાખે છે. મૂળભૂત વસ્તુ તરફ દૃષ્ટિ રાખનાર કદી દ્વેષનો કે રાગનો શિકાર થતો નથી. એ સદા માધ્યશ્યને જ અનુભવે છે. તો પછી શા માટે વસ્તુના બાહ્ય રૂપ-રંગ-દેખાવને જ લક્ષ્યમાં રાખી રાગ ષના શિકાર બન્યું રાખવું ? એના મૂળભૂત સ્વભાવને લક્ષ્યમાં લઈ મધ્યસ્થ શા માટે ન બનવું ?' તત્ત્વજ્ઞાન પોલિસીના આ રહસ્યને લક્ષ્યમાં લઈ ક્રોધને મૂળમાંથી કાઢવાનો ઉદ્યમ હવે પ્રારંભે જ છૂટકો ! પોલિસી મેટર ગમે તે હોય, પ્રિન્સીપલ મેટર સર્વત્ર એક જ છે - “ક્રોધ છોડો, શાંત થાવ, શુદ્ધ બનો.” બીજાના દોષની સજા પોતાની જાત ઉપર = ક્રોધ. - એલેકઝાન્ડર પોય. 359