________________ ટૂંકમાં, સોલ્યુશન પોલિસી એટલું જ કહે છે કે - “સુખ સંઘર્ષમાં નથી, સમાધાનમાં છે. સમાધાન કરનારો કદાપિ દુઃખી થઈ શકતો નથી અને સંઘર્ષ કરનારો કદાપિ સુખી થઈ શકતો નથી. હા! સમાધાનનું વલણ લાવવા માટે મન સાથે ગજબનાક સંઘર્ષ ખેલવો પડશે. પણ, બાહ્ય પરિસ્થિતિ કે વ્યક્તિ સાથેનો સંઘર્ષ તો અશાંતિ જ લઈ આવશે. પુણ્ય હશે તો જ તમારો પુરુષાર્થ કામમાં આવવાનો છે. અન્યથા સમાધાન જ સ્વીકારવું પડશે. તો શા માટે પહેલેથી જ સમાધાન ન સ્વીકારી લેવું ?' સમાધાન પોલિસીના આ સંદેશાને વહેલી તકે આત્મસાત્ કરવામાં સફળતા મેળવો. ક્રોધ ઉપર કાબૂ મળીને જ રહેશે ! સબળ ક્ષમી, નિર્મદ ધની, કોમળ વિદ્યાવંત | ભૂભૂષણ આ ત્રણ છે, ઉપજત અવર અનંત || - ભૂભૂષણ. 330