SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ કાબૂ ગુમાવી બેસશો. પછી તો એ ગુસ્સો ક્યાં લઈ જશે તે શું કહેવાય? એક પગથિયું ચૂકનારો એક જ પગથિયું નથી ચૂકતો, ચઢેલા તમામ પગથિયા ચૂકી જાય છે. એટલે જ કહું છું - સાંભળવાની ટેવ પાડો. જેથી પસ્તાવું ન પડે. બાકી બોલી ઉઠશો - “જિંદગી ! મને ખબર ન હતી તું છે એક ગણિત. એક પગલું ખોટું, ને દાખલો આખો ખોટો !!!" આ માનવભવમાં એકાદ વ્યક્તિ સાથે પણ, એકાદ જગ્યાએ પણ હવે ગફલત કરીએ તે ચાલી શકે નહીં. જો દુકાન-ઘરમાં પણ ઉપાશ્રય-દેરાસર જેવો ભાવ આવી જાય તો ભવિષ્ય ઉજળું છે. દુકાન ઉપર ત્રીજું પણ એક બોર્ડ હોય છે - (C) “ગ્રાહકનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ” - ક્રોધનો નિગ્રહ કરવા મગજમાં આ કોતરી દો કે - . “મારા પરિચયમાં આવનાર તમામને સંતોષ આપવો એ જ મારા જીવનનો મુદ્રાલેખ છે.” જો આ મુદ્રાલેખ તમે અપનાવો તો જગતની કોઈ વ્યક્તિ તમને દુઃખી કરી શકે નહીં. વ્યક્તિ તો શું ? કર્મસત્તા પણ દુઃખી કરી ન શકે. જગત આખાને સંતોષ આપનારને શું કર્મસત્તા અસંતોષ આપે ? શક્ય જ નથી. આડોશી-પાડોશી, મા-બાપ, દીકરા-દીકરી, પત્ની, નોકર વગેરે તમામને તમારા સ્વભાવથી સંતોષ જ છે ને ? તપાસજો. જો ઘરાકને સંતોષ ન આપી શકો તો દુકાન બંધ કરવાનો વારો આવે, તેમ જો તમારી આડોશ-પાડોશનાને તમે સંતોષ આપી ન શકતા હો તો ધર્મના દરવાજા તમારા માટે ખુલ્લા રહે તેવી શક્યતા નહીંવત્ 14
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy