SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ અલવિદા કરી દેવો છે” - આ ઉત્તમ વિચારધારાને અંતરથી ખૂબ ખૂબ ઘૂંટી. પોતાના બન્ને છોકરાઓને સતત વૈરાગ્યની વાતો કરી કરી ખૂબ જ ભાવિત કર્યા. અપમાન વગેરેની બધી વાતો ભૂલી જઈ માત્ર પોતાના દીકરાઓને સંસ્કાર આપવામાં લાગી જતી. - સાચા દિલથી આપેલા સંસ્કાર કદાપિ એળે નથી જતા. દીકરા અને દીકરી - બન્નેએ ધામધૂમથી દીક્ષા લીધી. પછી પોતે પણ સંસારને અલવિદા કરી સંયમમાર્ગ સ્વીકાર્યો. દુઃખગર્ભિત વૈરાગ્યને જ્ઞાનગર્ભિત પણ બનાવ્યો. સંસારને અલવિદા કરવાનું સામર્થ્ય મળ્યું તેના મૂળમાં વિચારશો તો ખ્યાલ આવશે કે આ પોલિસી જ તેના મૂળ તરીકે રહેલ છે. જો જે થાય તે સારા માટે !" - આવું વિચારવાના બદલે સામો આક્રોશ કર્યો હોત તો દીક્ષાના ભાવ તો ન જાગત, કિંતુ આ ભવ પણ ઝેર જેવો થઈ જાત, જીવતા નરકના દર્શન થાત. પ્રતિકૂળ સંયોગો જ આ સારા પરિણામને લઈ આવ્યા. માટે, જે થાય તે સારા માટે !' - આ વાત એકદમ સત્ય છે. જો આવા પ્રતિકૂળ સંયોગો ઉભા થયા ન હોત તો સંસારને અલવિદા કરવાનું મન થાત પણ ખરું અને ન પણ થાત. તમે તમારી જાતને જ એક પ્રશ્ન કરો કે - મને જોઈતી બધી સુખસામગ્રી હાજર થાય તો મને વૈરાગ્ય જાગે કે પ્રતિકૂળ સંયોગોમાં મને વૈરાગ્ય જાગે ? પ્રતિકૂળ સંયોગોમાં જ વૈરાગ્ય જાગે તેવી શક્યતા છે. પ્રતિકૂળ સંયોગો આત્માને ઢંઢોળવા આવે છે. “જે થાય તે સારા માટે ! - આ વાતને સ્વીકારી જો પ્રતિકૂળ સંયોગોનો પણ સ્વીકાર અને સત્કાર કરવામાં આવે તો ચોક્કસ દરેક પ્રતિકૂળ સંયોગ તમારા આત્માના ઉત્થાન માટે, વિકાસ માટે થઈને જ રહેશે. આ પોલિસી અપનાવવામાં તમારું પોતાનું તો કલ્યાણ થશે જ, સાથે સંઘ અને શાસનનું, ધર્મ અને રાષ્ટ્રનું પણ કલ્યાણ થઈને જ રહેશે. = આ વાત મગજમાં કોતરી દો * સંઘર્ષ કરવામાં અને સામનો કરવા દુઃખ છે, સ્વીકારમાં સુખ છે. 300
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy