SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ત , જે થાય તે સારા માટે ) કરિ પોલિસી અત્યંત કડક પ્રકૃતિ રાજાની હતી. જ્યારે મંત્રી શાંત અને ઠરેલ પ્રકૃતિનો હતો. બન્નેનો સ્વભાવ દોન ધ્રુવ જેવો હતો. છતાં મંત્રીના સ્વભાવની ઉદારતાથી બન્નેનો મેળ પડ્યો હતો. રાજ્યમાં મંત્રીની પ્રતિભા સાધુચરિત અને ઉદારચરિત પુરુષ તરીકેની હતી. રાજાની ઘણી ઉલઝનો મંત્રી જ દૂર કરી આપતો. માટે, રાજા આ શાંતપ્રકૃતિના મંત્રીને પણ જાળવી રહ્યા હતા. છતાં વખતે વખતે બન્ને વચ્ચેનો સ્વભાવફેર તરત જ જણાઈ આવતો હતો. મંત્રીને રાજા માટે એક આદરભાવ હતો. એ અંતરથી ઈચ્છતો કે રાજાનો સ્વભાવ પણ શાંત થાય. રાજા પોતે સમજુ હતો. પરંતુ જો કશું પણ પોતાની ઈચ્છાથી કે આજ્ઞાથી વિપરીત થતું તો તેનું મગજ તપી જતું. રાજાનું શોર્ય જેમ પ્રચંડ હતું, તેમ તેનો ક્રોધ પણ પ્રચંડ હતો. મંત્રીએ રાજાની આ ખામી દૂર કરવા કમર કસી હતી. મંત્રીએ આના માટે એક મંત્ર રાજાના કાનમાં અને મગજમાં પહોંચાડવાનું નક્કી કર્યું. હવે જ્યારે પણ કોઈ સારા કે નરસા સમાચાર આવે કે મંત્રી આ વાક્ય અચૂક બોલતો - “જે થાય તે સારા માટે !" હજુ સુધી એવા કોઈ મોટા પ્રસંગો બન્યા 289
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy