SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ અંગ્રેજો લગભગ 200 વર્ષ સુધી ભારતવર્ષ ઉપર રાજ કરી ગયા. તેમની સંખ્યા હજારોમાં સમાઈ જતી હતી. જ્યારે ભારતીયો કરોડોની સંખ્યામાં હતા. છતાં અંગ્રેજ સરકાર રાજ કરી શકી. કારણ એટલું જ કે તેમની કૂટનીતિ કામિયાબ નીવડી. ‘ભાગલા પાડો અને રાજ કરો' - આ તેમની નીતિ. મોટા ભાગના રાજાઓને આ નીતિના પ્રતાપે તેમણે વશ કરી દીધા. બે રાજાઓ વચ્ચે ફાટફૂટ પડાવી આખરે પોતે માલિક બની જતા. અંગ્રેજ લોકોની ડીવાઈડ એન્ડ રુલની કૂટનીતિ તો જગજાણીતી છે. આપણે એ કૂટનીતિને અધ્યાત્મ જગતમાં ક્રોધની સામે લાગુ પાડવી છે. ક્રોધ ભલેને ગમે તેટલો મજબૂત હશે, ભયાનક હશે. પણ, આ નીતિ તેની સામે અપનાવશો એટલે એ ઢીલોઢફ થયા વિના નહીં રહે. અંગ્રેજોની આ કૂટનીતિને અધ્યાત્મજગતમાં ક્રોધની સામે અપનાવવા માટે ક્રોધનું બારીકાઈથી નિરીક્ષણ કરવું પડશે. ‘ક્રોધની શક્તિ, ક્રોધનો પાવર કોને આભારી છે ? તેના મિત્રો, સ્વજનો કોણ છે ? કોના બળથી તે આગળ વધે છે ?' તે વિચારવું પડશે. ક્રોધના સ્વજનો અને ભાઈબંધો વગેરેને ક્રોધથી છૂટા પાડવા પડશે. આ બધું 280
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy