________________ ટેક્ષી ડ્રાયવરની આ વાત સાંભળી મારો પણ ગુસ્સો ઓગળી ગયો. આ અઠવાડિયામાં આવા તો ઘણાં પ્રસંગો બની ગયા છે. પણ દરેક વખતે જ્યારે જ્યારે મેં સામાવાળાના હાથમાં રૂા.૧૦૦ ની નોટ મૂકી છે ત્યારે ત્યારે રૂા. 100 ની નોટના પ્રતાપે મારા અને સામેવાળાના મનની કડવાશ દૂર થઈને જ રહી છે.” ટૂંકમાં, આ ‘પુનીશમેન્ટ” પોલિસી એટલું જ કહેવા માંગે છે કે “ઘરમાં પેસી ગયેલા ગુંડાને બહાર કાઢવા માટે જો દાંડો હાથમાં લેવો જ પડે છે તો અનાદિ કાળથી મનઘરમાં ઘૂસી ગયેલાં આ ક્રોધરૂપી ગુંડાને કાઢવા માટે સજાનો રાહ લીધા વિના છૂટકો જ નથી. ક્રોધ વાતોનો ભૂત નથી પણ લાતોનો ભૂત છે. માટે જો વાતોથી એ ન જાય તો લાત મારીને પણ તેને કાઢે જ છૂટકો. ‘લાતો કે ભૂત બાતોં સે નહીં માનતે' - આ કહેવત તો સાંભળી છે ને ?" બસ, ‘પનીશમેન્ટ” પોલિસીના આ સંદેશાને સ્વીકારી ક્રોધ માટે એવો આકરો દંડ નક્કી કરો કે ક્રોધ ઊભી પૂંછડીએ ભાગીને જ રહે. વિકૃત અથવા અપૂર્ણ આશાઓ ક્રોધને ઉત્પન્ન કરનાર છે. - એલિયટ લાર્સન, ક્રોધથી બે ચીજ તો અવશ્ય મળે છે : હતાશા અને નિરાશા. - લીન ઓસ્ટેન. 258