SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ છે? દોષો અને ગુણો બન્ને સામેવાળી વ્યક્તિમાં છે જ. પ્રશ્ન 2 છે કે રસ શેમાં ? દષ્ટિ કઈ ? માણસમાં રહેલ સિદ્ધસ્વરૂપને જોવ દૃષ્ટિ છે કે દોષોના ઉકરડાને જોવાની દૃષ્ટિ છે ? સામેવાળી વ્યક્તિમાં રહેલ ગુણમય વ્યક્તિત્વને જોવામાં રસ કે તેનામાં રહેલ દોષોને જોવામાં રસ ? ૧૪મી જાન્યુઆરીએ ધાબામાં કે અગાસીમાં માનવી જાય છે પતંગ ચગાવવા. કારણ કે ધાબામાં જતી વખતે પૂછવામાં આવે કે ક્યાં જાય છે ? તો જવાબ એ જ આવે કે પતંગ ચગાવવા જઉં છું. પણ, આશ્ચર્ય તો એ સર્જાય છે કે જ્યારે એ જ માણસ પાછો નીચે આવે ત્યારે કેટલા પતંગ ચગાવ્યા ? - તે વાત નથી કરતો. પણ, કેટલા કાપ્યા? તેની જ વાત કરતો હોય છે. પૂછનાર પણ એ જ પૂછતો હોય છે. એટલે સહેજે એમ થાય કે રસ પતંગ ચગાવવામાં છે કે પતંગ કાપવામાં? બીજાને ઉતારી પાડવામાં, સામેવાળાની કંઈક ભૂલ થાય કે તરત જ તેની મજાક કરવામાં, તેની મસ્તી કરવામાં રસ સાધકને ન હોય. ગુસ્સાને કંટ્રોલમાં લેવાનો મજાનો ઉપાય એ છે કે આખા જગતને ગુણીયલ તરીકે જુવો. કારણ કે જેના ઉપર ગુસ્સો આવ્યો છે તે વ્યક્તિ જો ગુણથી ભરપૂર દેખાતી હોય, તેના ઉપર છલોછલ સદ્ભાવ ભરેલો હોય તો ગુસ્સો થાય જ શી રીતે ? ટૂંકમાં, અર્જુન પોલિસી એટલું જ કહેવા માંગે છે કે “અર્જુનની જેમ તમારી નજર માત્રને માત્ર દરેક વ્યક્તિના ગુણો ઉપર કેન્દ્રિત કરો, તેના ગુણો જ જુવો. ગુસ્સો કાબૂમાં આવીને જ રહેશે.” ગુસ્સાને કાબૂમાં લેવા સંકલ્પના ધોરણે આ પોલિસી અપનાવીએ. પછી આ પોલિસીનું પરિણામ ચર્ચાનો વિષય નહીં કિંતુ અનુભવનો વિષય બનશે. સાચો અને સારો ઉપશમરસ ચાખવા મળશે. ઉપશમરસ બહુ મીઠો છે. વિશ્વાસ નથી આવતો ? ચાખી જુવો. 129
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy