________________ પુલસાનો પતિ પણ ચાલ્યો ગયો. આખા સંસારમાં સુલસા એકલી બચી છે. કર્મસત્તાએ આપત્તિની બૌછાર વરસાવવામાં કોઈ મણા નથી રાખી. છતાં સુલસા મહાવીર મહારાજાના ચરણોને બરાબર પકડીને બેઠી છે. આખા જગતમાં માત્ર ને માત્ર મહાવીર મહારાજાને જ તે શરણ માનીને બેઠી છે. માટે, આવી ભયાનક પરિસ્થિતિ કર્મસત્તાએ સર્જી છતાં ભગવાન મહાવીરે તીર્થંકર પદવીનું દાન તેને કરી દીધું. કર્મસત્તા હાથ ઘસતી રહી ગઈ. તુલસા જીતી ગઈ. દીકરા તરફથી રીસ્પોન્સ ઓછો મળે ત્યારે “આ મારો પાપોદય છે' - એમ સમજી દીકરા ઉપર ગુસ્સો અટકાવી શકો કે મગજની કમાન છટકી જાય? અત્યંત ગમતું પેન્ટ, ક્યારેક પ્રસંગે જ તેને વાપરવા કાઢતા હો, જ્યારે જ્યારે પણ એ પેન્ટ પહેરો ત્યારે ત્યારે વટ પડી જતો હોય, આવા પેન્ટની ઈસ્ત્રી કરતાં કરતાં તેમાં કાણું પડી જાય - આવા સમયે મગજની સ્વસ્થતા ટકે ? પેન્ટની કિંમત રૂા. 2000 હશે. પણ, મગજની સ્વસ્થતાની કિંમત તો અબજો ડોલર જેટલી છે. છતાં કોને સાચવવાનો પ્રયત્ન થાય ? પેન્ટના બગાડાની ભરપાઈ કરવા તેનાથી પણ વધુ સારું નવું પેન્ટ તમે ખરીદી શકશો. પણ મનના બગાડાની ભરપાઈ શી રીતે કરશો ? એક બીજી વાત પણ વિચારવા જેવી છે કે શ્રાવિકાએ ઈસ્ત્રી કરતાં કરતાં ભૂલ કરી રૂા. 2000 નું પેન્ટ બગાડી દીધું પણ તમે તો અબજો ડોલરની કિંમતવાળી મનની સ્વસ્થતા જ ગુમાવી દીધી. વધુ નુકસાન કોણે કર્યું? તો પછી વધુ ઠપકાપાત્ર કોણ બને ? છતાં પોતાનો ગુસ્સો પોતાને કદી દેખાતો નથી, પોતાની ભૂલ પોતાને કદી દેખાતી નથી. પરિણામે, સામેવાળી વ્યક્તિ જ દોષિત દેખાતાં તેના ઉપર તમે ગુસ્સાનો લાવારસ ઉછાળ્યા વિના રહેતા નથી. છે " યાદ રહે ! “સામેવાળાએ ઘણું નુકસાન પહોંચાડ્યું. માટે મને ગુસ્સો આવ્યો. મારો ગુસ્સો વ્યાજબી છે' - આવું કશું પણ સાંભળવા કર્મસત્તા રાજી નથી. વ્યાજબી કારણે પણ કરેલો ગુસ્સો તમને તો નુકસાન ન પહોંચાડશે. જેમ નુકસાન પહોંચાડનાર વ્યક્તિને શોધી તમે 108