SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ તરત જ મનમાં એક વિચાર સ્ફરી આવ્યો. આ મહારાજને આ શાક વહોરાવી દઉં, મારી આબરુ પણ સચવાઈ જશે અને મહારાજને આપવાનું હતું તે અપાઈ પણ જશે.” આ દુષ્ટ પ્રવૃત્તિના કારણે મારે સાતે સાત નરકમાં જાલિમ દુઃખો સહન કરવા પડશે - તેની કોઈ ગતાગમ ન હોવાથી મનમાં ઉઠેલા આ ભયંકર વિચારને અમલમાં લાવવાનું નક્કી કરી દીધું. અને મહારાજને આગ્રહ કરી કરી બધું તુંબડીનું શાક વહોરાવી દીધું. એ મહાત્માનું નામ “ધર્મરુચિ' હતું. માસક્ષમણના પારણે કડવી તુંબડીનું શાક વહોરી તે ગુરુમહારાજ પાસે ગયા. ગુરુમહારાજને દેખાડ્યું. ગુરુમહારાજને ગંધ ઉપરથી જ ખ્યાલ આવી ગયો કે આ તો કોઈ ઝેરી શાક છે. તેઓએ ધર્મરુચિ અણગારને વાત કરી - “મહાત્મા ! આ શાકને કોઈક નિર્દોષ ભૂમિ ઉપર પરઠવી આવો. આ શાક તો ઝેરી જણાય છે.” ગુરુદેવની આજ્ઞા પામી ધર્મરુચિ અણગાર નિર્દોષ ભૂમિએ પરઠવવા માટે નીકળી ગયા. ગામ બહાર નીકળી જંગલમાં પહોંચવા - આવ્યા. રસ્તા ઉપર ચાલતા ચાલતા પણ મહાત્માના મનમાં કોઈ રોષ કે રીસ નથી. માસમક્ષણનું પારણુ લંબાઈ રહ્યું છે, છતાં ઉપશમભાવ અખંડ છે. મહાત્માને ન તો બ્રાહ્મણી ઉપર ગુસ્સો છે કે બીજા કોઈના પણ ઉપર. તે તો માત્ર પોતાના કર્મનો જ દોષ જોઈ રહ્યા છે. નિર્દોષ ભૂમિ ઉપર પરઠવવા માટે મહાત્માએ સૌ પહેલા એક ટીપું જ જમીન ઉપર નાંખ્યું અને થોડી વાર થઈ ન થઈ ત્યાં તો ઊંચી જાતના મસાલાની સુગંધથી સેંકડોની સંખ્યામાં કીડીઓ ઊભરાવા લાગી. અને જેવો એક કીડીએ તે શાકનો દાણો મોઢામાં લીધો કે તરફડીને મરી ગઈ. ધર્મરુચિ અણગાર આ જોઈને હલબલી ગયા. સમજી ગયા કે જ્યાં પણ આ શાક પરઠવીશ ત્યાં કીડીઓની હિંસા થયા વિના રહેશે નહીં. આખરે મનોમન નિશ્ચય કરી એ શાકને પોતાના પેટમાં જ પરઠવવાનું શરૂ કર્યું. માસક્ષમણનું પારણું અને તેમાં પણ આવું કડવું શાક ! ખાધા પછી મોત નિશ્ચિત છે. છતાં એ મહાત્મા મનને લેશ શ્યપ 93
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy