SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ હતું, નહિ કે અભિમાનમાંથી. માન્યું કે- “મારા નાથે કહ્યું છે કે ચારે આહારનો ત્યાગ કરાય, જમીન પર બેસવા સરખાની વાત નહિ, ઘોર ગરમી કે કાતીલ ઠંડીમાં પણ કાઉસ્સગ્ગ ધ્યાનથી ન ચૂકાય, જગતની માયાનો ઉત્તર પણ ન દેવાય, કોઈ મારવા આવે તો ચસકાય પણ નહિ, તો કેવલજ્ઞાન થાય.' કહો, બાહુબલીનું કાઉસ્સગ્ગ ધ્યાને રહેવું એ અભિમાનથી છે કે મિથ્યાત્વશલ્યના ત્યાગથી ? એમણે શું કર્યું, જરા વિચારો ! બાર બાર મહિના કેવી રીતે ઊભા રહ્યા ! શરીરે વેલડીઓ વીંટાણી, દાઢે વધાર્યું તેમાં ચકલાએ માળા ઘાલ્યા, સિંહાસને બેસનાર એક વખતના ફક્કડલાલ બાહુબલીની કાયામાં (દાઢીમાં) પંખેરા માળા ઘાલે છે. શરીરની શુશ્રુષા કરતા નથી, સારસંભાળ લેતા નથી; શું આ અભિમાનથી ? ના. અભિમાન તો પાપસ્થાનક છે. એણે તો માત્ર નાના ભાઈ પાસે નમવા જવાથી અટકાવ્યા. બાકી ચારિત્ર લઈ કાઉસ્સગ્ગ ધ્યાને ઊભા, એ તો પ્રચંડ ધર્મ-ધગશથી, ગર્વ તો પાપસ્થાનક છે, પાપસ્થાનકથી ધર્મ ન થાય. ધર્મ તો મિથ્યાત્વના ત્યાગથી થાય. તુલનામાં પાપને મહત્ત્વ ન આપતા. ભરતે અન્યાય કર્યો ત્યારે બાહુબલીએ મૂઠી ઉગામી હતી ! : એજ બાહુબલી યુદ્ધમાં હિંસા કરતા હતા પણ મિથ્યાત્વ નથી, એટલે હિંસાના વ્યાપારમાં પણ મિથ્યાત્વના ત્યાગે, એના તાલ પર ટકોરો માર્યો, હૃદયમાં જઈને ભંભા વગાડી-હાં-હાં, ભાઈને મારવા ઊભો થયો ?" યુદ્ધમાં એ કેવા સમર્થ હતા ! છતાં મિથ્યાત્વશલ્ય નથી તો એ ભાઈને મારવા ઊભો થયો ?' યુદ્ધમાં એ કેવા સમર્થ હતા ! છતાં મિથ્યાત્વશલ્ય નથી તો એ ભાઈને મારવા ઊભા રહે ? કરોડોની મેદની જોઈ રહી હતી, દેવતાઓ જોઈ રહ્યા હતા, એમને ભય હતો કે હવે બાહુબલીની મૂઠીથી ભરતનું શું થશે ! ભરત ન જીવે !! ભરતના દંડે બાહુબલીનો મુગટ માત્ર તૂટે છે, જ્યારે બાહુબલીના દંડે ભરતના કવચ તૂટે છે. ભરત પણ ચક્રી છે, એમના ફટકાથી બાહુબલી ઉપાધિ થી સમાધિ તરફ 44
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy