SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ છે માટે. કામદેવની કેટલી કારમી શૃંખલાઓ જીવને જકડી લે છે કે કામના પાત્રની આગળ કશું વિસાતમાં ન ગણે, અને કામની સિદ્ધિ ખાતર બધું કરી છૂટે. આ શૃંખલાઓનાં બંધન ઓછા કર્યા વિના કામ પાત્રનાં આકર્ષણ ક્યાંથી મોળા પડે ? ને તે વિના પરમાત્મા અને સંતના આકર્ષણ ક્યાંથી જન્મે કે વધે ? હે ચન્દ્ર ! પછી તો ધામધૂમથી રાજા મને એની રાજધાનીમાં લઈ ગયો અને અમારાં લગ્ન કરાવ્યાં ! વિચારજો હસ્તમેળાપ વખતના મારા આનંદનું ગાંડપણ ! અહાહા ! જીવને પરમાત્માનો મેળાપ થતાં કે સગુરુનો યોગ થતો આવો આનંદાનુભવ ખરો ? થાય તો ખ્યાલ જ થઈ જાય ને ? પછી તો ત્યાં રહીને આનંદમગ્ન થઈ ગયો અને આગળ જઈને રાજા પણ બની ગયો.” કહો, પહેલાં કહ્યું તેમ બહાર માટેના પુરુષાર્થનાં ગુમાન કામ લાગે એવા છે ? મંત્રીએ આવી કોઈ ધારણાથી પુરુષાર્થ કર્યો હતો ? તો શું 16-16 વર્ષ રોવા અને હાડકાં પૂજવાનો ને પછી નદીમાં પધરાવવા આવવાનો પુરુષાર્થ એ મરેલી પત્ની પાછી મેળવવા તરીકેનો અને રાજા બનવા તરીકેનો પુરુષાર્થ ગણાય ? જો હા કહેશો તો તો પછી એ માટે એમ જ કરવા માંડવું પડશે ! ઠોકર લાગતાં ક્યાંક ઈંટોડું ઉખડી નીચે દટાયેલ પૈસા નીકળ્યા, તો શું પૈસા કાઢવા માટેનો પુરુષાર્થ એટલે ઠોકર મારતાં ચાલવું એમ કહેવાય ? ના, એ એનો પુરુષાર્થ જ નથી. એવું અહીં મંત્રીને બને છે. ત્યારે તમે કહેશો કે છતાં અહીં મંત્રીએ જે કર્યું તે તો સારામાં ઉતર્યું ને ? એકદમ હા કહેવાની ઉતાવળ કરતાં નહિ. કેમકે હવે જુઓ શું સારું-નરસું બને છે તે. ભાવની ખબર નથી એટલે તત્કાલ લાભ ઉપર ઓવારી જવાય છે. મંત્રી આપઘાત કરવા : મુનિ કહે છે “હે ચન્દ્ર ! પછી તો એકવાર મારી પત્ની એવી બિમાર પડી કે કોઈ ઉપાય જ કારગત થાય નહિ ! મારી ધીરજ ખૂટી. મને એમ થયું કે નથી ને જો આનું મૃત્યુ થશે તો પછી તો મારે જીવવું ઉપાધિ થી સમાધિ તરફ 141
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy