SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૧૪૯મું - એક પ્રકારથી દસ પ્રકાર સુધીનું સમ્યકત્વ 437 દ્વાર ૧૪૯મું - એક પ્રકારથી દસ પ્રકાર સુધીનું સમ્યકત્વ (1) એક પ્રકારનું સમ્યકત્વ - તત્ત્વરૂપ પદાર્થોની શ્રદ્ધારૂપ સમ્યત્વ. (2) બે પ્રકારનું સમ્યક્ત - (i) દ્રવ્યસત્વ - વિશેષ પ્રકારની વિશુદ્ધિથી વિશુદ્ધ કરાયેલા મિથ્યાત્વમોહનીયના પુદ્ગલો તે દ્રવ્યસમ્યકત્વ. (i) ભાવસભ્યત્વ - દ્રવ્યસમ્યકત્વના આધારે થયેલો જીવનો ભગવાને કહેલા તત્ત્વોની રુચિનો ભાવ તે ભાવસમ્યક્ત્વ. અથવા, (i) નિશ્ચયસમ્યકત્વ - દેશ-કાળ-સંઘયણને અનુરૂપ સંયમના યથા શક્તિ બરાબર પાલનરૂપ સંપૂર્ણ સાધ્વાચાર તે નિશ્ચયસમ્યકત્વ. (i) વ્યવહારસમ્યકત્વ - ઉપશમ વગેરે લિંગોથી જણાતો આત્માનો શુભ ભાવ અને તેના કારણરૂપ જિનશાસનની પ્રીતિ વગેરે. અથવા, (i) પૌલિકસમ્યકત્વ - સમ્યકત્વમોહનીયના પુગલોને ભોગવવા રૂપ ક્ષાયોપથમિકસમ્યત્વ તે પૌદ્ગલિકસમ્યકત્વ. (i) અપોલિકસમ્યકત્વ - દર્શન 3 ના ક્ષય કે ઉપશમથી થયેલું જીવના પરિણામરૂપ ક્ષાયિકસમ્યકત્વ કે ઔપશમિકસમ્યક્ત્વ તે અપૌગલિકસમ્યકત્વ. અથવા, (i) નિસર્ગસમ્યત્વ - ગુરુના ઉપદેશ વગેરે નિમિત્ત વિના સ્વાભાવિક રીતે કર્મના ઉપશમ વગેરેથી થનારું સમ્યકત્વ તે નિસર્ગસમ્યત્વ. તે નારકી વગેરેને હોય છે.
SR No.032804
Book TitlePadarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2016
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy