SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ 426 દ્વાર ૧૪૬મું - 10 સંજ્ઞાઓ દ્વાર ૧૪૬મું - 10 સંજ્ઞાઓ સંજ્ઞા = વેદનીય-મોહનીય કર્મોના ઉદયથી અને જ્ઞાનાવરણદર્શનાવરણ કર્મોના ક્ષયોપશમથી થનારી વિચિત્ર પ્રકારની આહાર વગેરે પ્રાપ્ત કરવાની ક્રિયા તે સંજ્ઞા. તે 10 પ્રકારે છે. તેમાં જે પ્રકાર ૧૪પમા દ્વારમાં કહ્યા છે. બાકીના 6 પ્રકાર આ પ્રમાણે છે - (5) ક્રોધસંજ્ઞા - ક્રોધમોહનીયકર્મના ઉદયથી ગુસ્સે થઈને કઠોરતાપૂર્વક મુખ, આંખ, દાંત, હોઠ ફરકવા વગેરે રૂપ ક્રિયા તે ક્રોધસંજ્ઞા. (6) માનસંજ્ઞા - માનમોહનીયકર્મના ઉદયથી પોતાની બડાઈ વગેરેના પરિણામરૂપ અહંકાર કરવો તે માનસંજ્ઞા. (7) માયાસંજ્ઞા - માયામોહનીયકર્મના ઉદયથી અશુભ સંક્લેશથી ખોટું બોલવા વગેરેની ક્રિયા તે માયા સંજ્ઞા. (8) લોભસંજ્ઞા - લોભમોહનીયકર્મના ઉદયથી લાલસાથી સચિત્ત અચિત્ત દ્રવ્યોની માંગણી કરવી તે લોભસંજ્ઞા. (9) ઓઘસંજ્ઞા - સ્થાનાંગટીકાનો મત-મતિજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમથી થનારી શબ્દ વગેરે વસ્તુ સંબંધી સામાન્ય બોધની ક્રિયા તે ઓળસંજ્ઞા. અર્થાત દર્શનોપયોગ તે ઓ સંજ્ઞા. આચારાંગટીકાનો મત-વેલડીઓના ઊંચે ચડવા વગેરેની અવ્યક્ત ઉપયોગરૂપ સંજ્ઞા તે ઓઘસંજ્ઞા. મતાંતરે જ્ઞાનોપયોગ તે ઓળસંજ્ઞા. (10) લોકસંજ્ઞા - સ્થાનાંગટીકાનો મત - મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી થનારી શબ્દ વગેરે વસ્તુ સંબંધી વિશેષબોધની ક્રિયા તે લોકસંજ્ઞા. અર્થાત જ્ઞાનોપયોગ તે લોકસંજ્ઞા. આચારાંગટીકાનો મત - પોતાની મરજીથી કલ્પેલા લૌકિક આચારરૂપ ક્રિયા તે લોકસંજ્ઞા. મતાંતરે દર્શનોપયોગ તે લોકસંજ્ઞા. બધા જીવોને દસે સંજ્ઞા હોય છે.
SR No.032804
Book TitlePadarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2016
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy