SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ નામકર્મની ઉત્તરપ્રકૃતિઓ પ૭૩ પુગલોને જીવ ભેગા કરે તે. () કાર્મણ સંઘાત નામકર્મ-જે કર્મના ઉદયથી કાર્મણશરીરરૂપે પરિણમેલા પુદ્ગલોને જીવ ભેગા કરે તે. (7) સંઘયણ નામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં તે તે સંઘયણની પ્રાપ્તિ થાય તે. સંઘયણ એટલે હાડકાની રચના. તે 6 પ્રકારના છે - વજઋષભનારાચસંઘયણ - વજ = ખીલી, ઋષભ = પાટો, નારાચ = બન્ને બાજુ માર્કટબંધ૧. જે સંઘયણમાં બે હાડકા બન્ને બાજુ મર્કટબંધથી બંધાયેલા હોય, તેમની ઉપર હાડકાનો પાટો વીંટેલો હોય અને તેમની ઉપર ત્રણેને ભેદનાર હાડકાની ખીલી હોય તે વજઋષભનારાચસંઘયણ. (i) ઋષભનારાચસંઘયણ - જે સંઘયણમાં બે હાડકા બન્ને બાજુ મર્કટબંધથી બંધાયેલા હોય અને તેમની ઉપર હાડકાનો પાટો વીંટેલો હોય તે. મતાંતરે વજનારાચસંઘયણ - જે સંઘયણમાં બે હાડકા બન્ને બાજુ મર્કટબંધથી બંધાયેલા હોય અને તેમની ઉપર હાડકાની ખીલી લાગી હોય તે. (ii) નારાચસંઘયણ - જે સંઘયણમાં બે હાડકા બન્ને બાજુ મર્કટબંધથી બંધાયેલા હોય તે. (v) અર્ધનારાચસંઘયણ - જે સંઘયણમાં બે હાડકા એક બાજુ મર્કટબંધથી બંધાયેલા હોય અને બીજી બાજુ હાડકાની ખીલીથી બંધાયેલા હોય 1. મર્કટબંધ = મર્કટ = વાંદરાનું બચ્યું. તે માતાની છાતીએ જેમ જોરથી વળગી રહે છે, તે રીતે બે હાડકા પરસ્પર જેમાં વળગી રહ્યાં હોય તેવી રચનાને મકેટબંધ કહેવાય છે.
SR No.032804
Book TitlePadarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2016
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy