________________ (8) ચારિત્રમોહનીય ઉપશમના અધિકાર (9) કરણકૃત દેશોપશમના અધિકાર કરણકૃત દેશોપશમનાના ચાર પ્રકાર છે - પ્રકૃતિદેશોપશમના, સ્થિતિદેશો પશમના, રસદે શોપશમના અને પ્રદેશદે શોપશમના. ઉપશમનાકરણના પદાર્થસંગ્રહ પછી નિધત્તિકરણ અને નિકાચનાકરણનો પદાર્થસંગ્રહ છે. ત્યાર પછી ઉપશમનાકરણના મૂળગાથા-શબ્દાર્થ છે. ત્યાર પછી નિધત્તિકરણ અને નિકાચનાકરણના મૂળગાથા-શબ્દાર્થ છે. આ પુસ્તકના અધ્યયન દ્વારા ઉદીરણાકરણ-ઉપશમનાકરણનિધત્તિકરણ-નિકાચનાકરણના ગહન પદાર્થોનું જ્ઞાન સરળતાથી થાય છે. આ પુસ્તક દ્વારા એ પદાર્થો સહેલાઈથી કંઠસ્થ થઈ શકે છે, કેમકે આ પુસ્તકમાં પદાર્થોને સંક્ષેપમાં બરાબર સમજાવ્યા છે, બિનજરૂરી વિસ્તાર કર્યો નથી. આ પુસ્તકના અભ્યાસ દ્વારા કર્મપ્રકૃતિના ગૂઢરહસ્યો જાણીને સહુ કોઈ કર્મરાજાની વ્યુહરચનામાંથી આબાદ રીતે છટકી જઈ નિર્વાણનગરી તરફ સંચરે એ જ અંતરની એક અભિલાષા છે. | પરમગુરુદેવ આચાર્ય વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ, પ્રગુરુદેવ આચાર્ય વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ અને ગુરુદેવ પન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી ગણિવર આ ગુરુત્રયીની કૃપાવર્ષાથી જ આ કાર્ય શક્ય બન્યું છે. એમની કૃપાના બળે જ મોહાધીન એવો હું આજે આ કક્ષાએ પહોંચ્યો છું. એમના ઉપકારોને ફરી ફરી યાદ કરવા સાથે એમના ચરણોમાં અનંતશઃ વંદના કરું છું. આ સંપૂર્ણ પુસ્તકમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો તેની ક્ષમા યાચું છું. ગુરુદેવ પન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી મહારાજની ૫૦મી સ્વર્ગારોહણતિથિ દિન વિ.સં. 2067, શ્રાવણ વદ-૧૧, ગુરુવારપેઠ, પુના, મહારાષ્ટ્ર પ્રેમ-ભુવનભાનુસૂરિપં. પદ્મવિજયજીના વિનેય આ. હેમચન્દ્રસૂરિ