SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ 1 5 1 સંખ્યાત સંખ્યાત સ્થિતિબંધ (ii) સ્થિતિબંધ - અપૂર્વકરણના પહેલા સમયે નવો સ્થિતિબંધ પૂર્વના સ્થિતિબંધ કરતા પલ્યોપમ પ્રમાણ ન્યૂન કરે છે. એક સ્થિતિબંધનો કાળ એક સ્થિતિઘાતના કાળ જેટલો છે. ત્યાર પછી નવો નવો સ્થિતિબંધ પૂર્વ પૂર્વના સ્થિતિબંધ કરતા પલ્યોપમ પ્રમાણ ન્યૂન કરે છે. એમ અપૂર્વકરણના અંત સુધી જાણવું. જે સમયે નવો સ્થિતિબંધ શરૂ કરે છે ત્યારથી અંતર્મુહૂર્ત સુધી (સ્થિતિબંધાદ્ધા સુધી) તેટલો જ સ્થિતિબંધ ચાલુ રહે છે. ત્યાર પછીના સમયે પલ્યોપમના સંખ્યામાં ભાગ ન્યૂન પ્રમાણ નવો સ્થિતિબંધ થાય છે. મહાબલ્પ' ગ્રન્થમાં જઘન્ય સ્થિતિબંધનો કાળ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત કહ્યો છે, 1 સમયનો નહીં. એ ઉપરથી સૂચિત થાય છે કે જઘન્ય સ્થિતિબંધ જે સમયે થયો તે સમયથી અંતર્મુહૂર્ત સુધી તેટલો જ ચાલુ રહે છે. જઘન્ય સ્થિતિબંધ ઉપરના ગુણસ્થાનકે શ્રેણિમાં થાય છે. ત્યાં પણ કરણગત વર્ધમાન વિશુદ્ધિ છે. એટલે કરણગત વિશુદ્ધિમાં અંતર્મુહૂર્ત સુધી સમાન સ્થિતિબંધ રહેવામાં કોઈ વિરોધ નથી. લબ્ધિસાર' ગ્રન્થની ગાથા ૩૯ની ટીકામાં પણ કહ્યું છે - 'अधःप्रवृत्तकरणकाले प्रथमसमयादारभ्यान्तर्मुहूर्तपर्यन्तं प्राक्तनस्थितिबन्धात्पल्यसङ्ख्यातैकभागन्यूनां स्थितिं बध्नाति / ततः परमन्तर्मुहूर्तपर्यन्तं पुनरपि पल्यसङ्ख्यातैकभागन्यूनां स्थिति વMાતિ ' આ ઉપરથી પણ સિદ્ધ થાય છે કે અંતર્મુહૂર્ત પર્યન્ત સમાન સ્થિતિબંધ રહે છે અને ત્યાર પછી પલ્યોપમના સંખ્યામા ભાગ ન્યૂન પ્રમાણ સ્થિતિબંધ થાય છે. પ્રતિસમય અનંતગુણ વિશુદ્ધિમાં જીવ વધે છે, છતા સ્થિતિબંધ
SR No.032799
Book TitlePadarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages298
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy