________________ કર્મપ્રકૃતિ ઉદયાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ उदओ उदीरणाए, तुल्लो मोत्तुण एक्कचत्तालं / आवरणविग्घसंजलण-लोभवेए य दिट्ठिदुगं // 1 // आलिगमहिगं वेएति, आउगाणं पि अप्पमत्ता वि / वेयणियाण य दुसमय-तणुपज्जत्ता य निदाओ // 2 // मणुयगइजाइतसबायरं च, पज्जत्तसुभगमाएज्जं / जसकित्तिमुच्चगोयं, चाओगी केइ तित्थयरं // 3 // 41 પ્રકૃતિઓ સિવાયની શેષ પ્રકૃતિઓનો ઉદય ઉદીરણાની સમાન છે. આવરણ (જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4), અંતરાય 5, સંજવલન લોભ, વેદ 3, દર્શન ર (સમ્યક્ત્વમોહનીય, મિથ્યાત્વ મોહનીય) - આ 20 પ્રકૃતિઓનો ઉદય ઉદીરણા કરતા 1 આવલિકા અધિક કાળ સુધી થાય છે. આયુષ્યોનો ઉદય પણ તેમની ઉદીરણા કરતા 1 આવલિકા અધિક કાળ સુધી થાય છે. આયુષ્યોની ઉદીરણા પ્રમત્ત જીવો જ કરતા હતા, જ્યારે તેમનો ઉદય અપ્રમત્તજીવોને પણ હોય છે. વેદનીયની ઉદીરણા પ્રમત્ત જીવો જ કરતા હતા, જ્યારે તેમનો ઉદય અપ્રમત્તજીવોને પણ હોય છે. શરીરપર્યાપ્તિના બીજા સમયથી ઈન્દ્રિય પર્યાપ્તિના ચરમ સમય સુધી નિદ્રા પની ઉદીરણા ન હોય પણ ઉદય હોય છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ અને ઉચ્ચગોત્ર - આ 9 પ્રકૃતિઓની ૧૪માં ગુણઠાણે ઉદીરણા હોતી નથી પણ ઉદય હોય છે. કેટલાક અયોગી કેવળી ભગવંતોને જિનનામકર્મની ઉદીરણા હોતી નથી પણ ઉદય હોય છે. (1-2-3)