SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ( પ્રકાશકીય) ‘પદાર્થપ્રકાશ ભાગ 27 - નમસ્કારસ્તવ, પદાર્થસંગ્રહ તથા મૂળગાથાવૃત્તિ' - આ પુસ્તક આજે સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. પરમપૂજય ગુરુદેવશ્રી વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના પ્રેરણા-માર્ગદર્શન-કૃપાથી આ પુસ્તકનું પ્રકાશન થયું છે. અમે પૂજય ગુરુદેવશ્રીના અત્યંત ઋણી છીએ. શ્રીજિનકીર્તિસૂરિજીએ ‘નમસ્કારસ્તવ' નામના ગ્રંથની રચના કરી છે. તેની ઉપર તેમણે ટીકા પણ રચી છે. તે મૂળગ્રંથ અને તેની ટીકાના આધારે આ પુસ્તકમાં પદાર્થોનો સંગ્રહ કર્યો છે. આ ગ્રંથમાં નવકાર મહામંત્રના ભાંગાઓની સંખ્યા, ભાંગાઓનો પ્રસ્તાર (વિસ્તાર), ભાંગાને શોધવો, ભાંગાક્રમાંકને શોધવો, અનાનુપૂર્વી ગણવાનો મહિમા - આ પાંચ વિષયોનું વિવેચન કરાયું છે. આ ગ્રંથ ગણિતવિષયક છે. આ ગ્રંથના અભ્યાસ દ્વારા સહુ કોઈ નવકાર મહામંત્રના ભાંગા અને તેમને ગણવાનો મહિમા જાણે અને પોતાના જીવનમાં તે ભાંગાઓ ગણવાની શરૂઆત કરે એ જ શુભેચ્છા. આજસુધી પૂ.ગુરુદેવશ્રી દ્વારા લિખિત-અનુવાદિત-સંપાદિત-પ્રેરિત અનેક પુસ્તકો પ્રકાશિત કરવાનો અમને લાભ મળ્યાનો અમને અત્યંત આનંદ છે. આગળ પણ પૂ. ગુરુદેવશ્રીના હસ્તે અનેક પુસ્તકો લખાય અને તેમને પ્રકાશિત કરવાનો લાભ અમને મળે એ જ અભ્યર્થના. લી. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ ટ્રસ્ટીઓ (1) ધરણેન્દ્ર અંબાલાલ શાહ (2) પુંડરીક અંબાલાલ શાહ (3) મુકેશ બંસીલાલ શાહ (4) ઉપેન્દ્ર તારાચંદ શાહ
SR No.032796
Book TitlePadarth Prakash 27 Navkar Stava
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2018
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy