SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ 28 કોઠા પ્રમાણે ભાગાક્રમાંક પરથી ભાંગાને શોધવાની રીત એક પંક્તિમાંથી એક જ ખાનાનો અંક લેવો. પહેલી પંક્તિના 1 સાથે જે જે ખાનાના અંકો મળીને ભાંગાક્રમાંકની સંખ્યા થાય છે તે ખાનામાં પાસા નાખવા. તે તે પંક્તિમાં પાસા નાખેલ ખાનાનો ક્રમાંક તે ખોવાયેલા ભાંગાની તે તે પંક્તિનો અંક. જે પંક્તિમાં ખાનામાં પાસા ન નાખ્યા હોય તે પંક્તિમાં શૂન્યવાળા ખાનાનો ક્રમાંક તે ખોવાયેલા ભાંગાની તે તે પંક્તિનો અંક છે. દા.ત. (1) પાંચ પદોનો 30 મો ભાંગો કેવો હોય ? પાંચમી પંક્તિના 24, ત્રીજી પંક્તિના 4, બીજી પંક્તિના 1 મળીને 29 થાય. પહેલી પંક્તિના 1 સાથે તે 30 થાય. જે ભાગાક્રમાંક છે. આ ચાર ખાનાઓમાં પાસા નાખવા. પાંચમી પંક્તિના 24 નું ખાનું ઉપરથી બીજું છે. તેથી પચ્ચાનુપૂર્વીથી 5,4,3, 2,1 એ પ્રમાણે ગણતા બીજો અંક 4 છે. તેથી ખોવાયેલા ભાંગાની પાંચમી પંક્તિમાં 4 મૂકવો. ચોથી પંક્તિમાં કોઈ ખાનામાં પાસો નથી. તેથી શૂન્યના ખાનાનો ક્રમાંક તે ખોવાયેલા ભાંગાની ચોથી પંક્તિનો અંક છે. શૂન્યનું ખાનું પહેલું છે. તેથી પચ્ચાનુપૂર્વીથી 5,4,3, 2,1 એ પ્રમાણે ગણતા પહેલો અંક પ છે. તેથી ખોવાયેલા ભાંગાની ચોથી પંક્તિમાં પ મૂકવો. - ત્રીજી પંક્તિમાં 4 નું ખાનું ઉપરથી ત્રીજું છે. પચ્ચાનુપૂર્વીથી 5,4, 3, 2, 1 એ પ્રમાણે ગણવું જોઈએ. પણ ખોવાયેલા ભાંગાની
SR No.032796
Book TitlePadarth Prakash 27 Navkar Stava
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2018
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy