SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભૂતિ કરતાં હોય છે અને વીતરાગતાની કેડી પર વહેતાં હોય છે, જેને આત્માનો અનુભવ કરવાની ઈચ્છા હોય છે તેને અવશ્ય અનુભવ થયા વિના રહેતો નથી. તેઓ પર (પુગલ)નાં સ્વાદને અનુભવવાનું છોડે પણ પરમપદનાં સ્વાદને અર્થાત્ આત્માના ગુણોને અનુભવવામાં સર્વશક્તિ કેન્દ્રિત કરે, તો તેઓ સિધ્ધનાં સુખોનો આંશિક આસ્વાદ અહીં પણ અનુભવી શકે. પ્ર. આ લોકમાં સુખી કોણ? જ. ભિક્ષુક–નિરંજન–જે જ્ઞાનમાં ડૂબેલો હોય - મસ્ત હોય તે સુખી હોય. પાંચેય ઈદ્રિયોના સુખ સંખ્યાત કે અસંખ્યાત કાળ સુધી ભોગવી શકાય, જ્યારે સિધ્ધોનું સુખ અનંત છે અમર્યાદ છે. શાશ્વત, સહજ, પ્રયત્ન વિના અપેક્ષા વિનાનું વ્યાપ વિનાનું અખૂટ ખૂટે નહીં તેવું છે. અસંખ્યાત કાળના આયુષ્યવાળો દેવ કે યુગલિક, આત્માના અનંતના સુખને પણ ભોગવી શકે નહીં, કેમ કે વિરતિ નથી. નિશ્ચિત ભોગાવલી કર્મના ઉદયવાળા છે. સંખ્યાત કાળના આયુષ્યવાળો મુનિ આત્માના અનંતના સુખને ભોગવી શકે છે - કેમ કે સર્વવિરતિરૂપ પરસંગથી પર થવાનું પરમ સાધન છે. તે પ્રમાણે પુરુષાર્થ કરે તો નિઃસંગ રૂપે થઈ સુખ ભોગવે. આથી સંખ્યાત કાળના આયુષ્યવાળો મુનિ આત્માના અનંતના સુખને ભોગવી શકે છે. પ્રભુ વિરે વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં ધગધગતું સીસું રેડ્યું, જેનાથી નિકાચિત કર્મ બંધાયું. તે નંદન ઋષિના ભવમાં 11 લાખ 80 હજાર 645 માસક્ષમણની ઉગ્ર તપ સાધના અપૂર્વ સંવેગ પૂર્વક કરી નિકાચિત કર્મના રસનો અનુબંધ તોડી નાખ્યો અને 'વરબોધિ' (બીજા કરતાં વિશેષ હોય તેવું સમ્યકત્વ)ની હાજરીમાં તીર્થકર—નામ કર્મ બાંધ્યું. સીસું રેડયું તેનું પ્રદેશોદયથી જે કર્મ બાકી રહ્યું તે છેલ્લા ભવમાં ઉદયમાં આવ્યું. કાનમાં ખીલા ઠોક્યાની વેદના દ્રવ્યથી અને ભાવથી સહી જ્યારે ખીલા બહાર કાઢયા ત્યારે જ્ઞાનસાર-૩ // 377
SR No.032778
Book TitleGyansara Part 03
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherSacchidanand Gyanvardhak Trust
Publication Year2017
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy