SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ નિષધપતિ - ત્રીજે દિવસે તે રાજસભામાં જવાની તૈયારી કરવા માંડી. ત્યાં તેને સમાચાર મલ્યા કે, જલંધરના રાજા ચંદ્રબાહુ પિતાની રાણી અને રસાલા સાથે નગરી બહાર પધાર્યા છે. રાજપરિવારના સભ્ય અને મહારાજા વરસેન એમનું સ્વાગત કરવા જવાની તૈયારી કરી રહ્યા છે! આ સમાચાર સાંભળીને પુરોહિતજી ભારે આશ્ચર્યમાં ગરકાવ બની ગયા. રાજા ચંદ્રબાહુ એકાએક શા માટે આવે ? શું રાજ્ય પર કોઈ વિપત્તિ આવી હશે ? હું ત્યાંથી નીકળે ત્યાં સુધીમાં તો એ કોઈ બનાવ નહે કે રાજાને અહીં દેડી આવવું પડે ! આમ, સંશયને દેર પકડીને પુરોહિતજી પણ નગર બહાર પિતાને રાજને મળવા એક રથમાં બેસીને વિદાય થયા. મહારાજા વીરસેન સ્વાગતાથે ગરી બહાર આવે તે પહેલાં જ પુરોહિત ત્યાં પહોંચી ગયા. તેઓ સીધા એક વૃક્ષ નીચે પિતાના મંત્રી સાથે બેઠેલા રાજા ચંદ્રબાહુ પાસે ગયા અને આશીર્વાદ આપીને બાલ્યા: “રાજન, આપ એકાએક ?" તમે અહીં ક્યારે આવ્યા?” ‘પરમ દિવસે...” “શું તમે કોઈ વાત નથી સાંભળી?' “ના, મહારાજ... શું રાજ્ય પર વિપત્તિ અથવા...?” પરરાજ્યની કોઈ વિપત્તિ નથી આવી..આપે મહારાજા સમક્ષ રાજકન્યાની છબી રજૂ કરી છે?' ના..ગઈ કાલે રાજસભા મળી નહતી ...આજ હું જવાની તૈયારી કરતો હતો ત્યાં આપ પધાયો છે એવા સમાચાહ મળ્યા....” " હવે આપ અમારી સાથે રહેજે..જે વાત મૂકવાની છે તે પછી મુકાશે.” ચંદ્રબાહુએ કહ્યું. ત્યાં તે ત્રણ ચાર રથ આવતા દેખાયા. પુરહિતે કહ્યું, “આપના
SR No.032775
Book TitleNishadh Pati
Original Sutra AuthorN/A
AuthorMohanlal Chunilal Dhami
PublisherNavyug Pustak Bhandar
Publication Year1979
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy