SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ નિષધપતિ ચાર વેદો પરદશન, ષટ, રસશાસ્ત્ર, ટભાષા તવ, રાજનીતિ, વગેરે શાસ્ત્રોને અભ્યાસ કર્યો હોવાથી તેને વદન પર જ્ઞાનનું તેજ સ્થાયી બન્યું હતું. જ્ઞાનવ ત પુરુષોનાં નયન વદને જ્ઞાન પ્રભા વિસ્તરતી હોય છે. નળકુમાર જેમ જ્ઞાની હતા, તેમ અસ્ત્રવિદ્યામાં પણ અજોડ હતે..કારણ કે તે યુવરાજ હતો અને ભવિષ્યમાં રાજ્યને બોજો પિતાને જ સંભાળવો પડશે એ નિશ્ચિત હતું ભુજબળ વગરનો રાજવી રાજ્યને બે ઉઠાવી શકતા નથી અને ઉઠાવે તે તેના કમજોર હાથ રાજ્યનું રક્ષણ કરી શકતા નથી. ગઈ કાલે સવારે યુવરાજ નળ પોતાના સાથીઓ સાથે અશ્વ કીડા નિમિત્તે નગરીની બહાર નીકળી ગયો હતો.. ઉત્તમ અશ્વ હેય, અંગમાં યૌવન હય, અશ્વચાલનને રસ હાય અને નિશ્ચિત મન હેય...પછી સમયની પરિભાષા આવી આવતી જ નથી. અશ્વક્રીડા કરતાં કરતાં તેઓ ખૂબ દૂર નીકળી ગયા...એક સ્થળે બધા સાથીઓ સાથે તેણે સાથે રાખેલા પાંચેયને મધ્યાહ્ન ભોજન તરીકે ઉગ કર્યો... પરંતુ નગરી તરફ પાછા ન ફરતાં તેઓ જરા આગળ વધ્યા. સંધ્યા સમયે સહુ આ વિરાટ અટવીમાં આવી પહોંચ્યા. અને યુવરાજ નળકુમારને અશ્વ એકાએક ચમ... આડેધડ વાયુ વેગે જતે અશ્વ અટવીના મધ્ય ભાગમાં પહોંચી ગયે... ભયંકર રાત હતી..હિંસક પ્રાણીએ, ઘણું હતાંકોઈ સ્પષ્ટ ભાગ નહોતો. બધા સાથીઓથી પિતે સાવ અલગ થઈ ગ હતો... પરંતુ યુવરાજને આ અટવીન પરિચય હતે..કારણ કે પિતાના જ રાજ્યનું આ મહાવન હતું. છેવટે આખી રાત અશ્વને ચલાવતાં ચલાવતાં પણ તે કઈ
SR No.032775
Book TitleNishadh Pati
Original Sutra AuthorN/A
AuthorMohanlal Chunilal Dhami
PublisherNavyug Pustak Bhandar
Publication Year1979
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy